'તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
વિવેક ટેલર

(કિતાબ) – અમૃતા પ્રીતમ

ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?

– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)

આ સવાલનો જવાબ કોઈ ધર્મ પણ બરાબર આપી શકતો નથી. કોઈ બાળકને વિના કારણ પીડાતુ જુઓ તો એક ઘડી તો શ્રદ્ધા કોરે મૂકી કહેવાઈ જ જાય છે – આવું કેમ ?

(ઈબારત=લેખ)

10 Comments »

  1. મીના છેડા said,

    June 6, 2011 @ 4:59 AM

    આવું કેમ ?

    જ્યાં સુધી આપણે દરેક આ સવાલનો જવાબ જાતે જ નહીં બનીએ… આ સવાલ દરેક પેઢીને વારસામાં મળતો રહેશે…. નક્કર કામ કરવા જ રહ્યા…

  2. rajnikant shah said,

    June 6, 2011 @ 5:15 AM

    આ તારી ઈબારત છે ?
    કે છાપભૂલો ?

    આવું કેમ ?

  3. pragnaju said,

    June 6, 2011 @ 7:07 AM

    અમૃતાએ પ્રેમને સર્વસ્વ ગણીને જીવેલી જીંદગી ના અનુભવવાણી !
    ત્યારે આવી પંક્તીઓ લખાય
    ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
    આ તારી ઈબારત છે ?
    યાદ આવે ઇબારતની કચમચાવી કાઢતી પંક્તી
    આજે જાણે બધા કૈદો બની ગયા,
    સૌંદર્ય અને પ્રેમના ચોર.
    હું ક્યાંથી શોધી લાવું
    બીજો એક વારિસશાહ ?

  4. Kalpana said,

    June 6, 2011 @ 7:21 AM

    છાપભૂલો શાની?
    ખૂદાના દરબારમા બધુ વ્યવસ્થિત છે. આપણામા જ ખામી છે. દુઃખ, ભૂખ ભય અને ગુલામી આપણે જ ઉભા કર્યા છે. સુખ, દુઃખને ઓળખવામા, સ્વાદની ભાઁજગડમા પડીને અને ખોરાકની અકુદરતી અછત ઊભી કરીને, અવિશ્વાસ અને દગાના ખેલ ખેલીને ભય ઉભો કરીને, બીજા પર હક જમાવી આપણી વિચારસરણીને અનુસરવા માટે મજબૂર કરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુલામી લાદીને ભૂલ છાપ ના નામે આપણે મનને છેતરવાનો નિષ્ફળ પ્રયત્ન કરીએ છીએ.

    આવુઁ કેમ પૂછતા પહેલા જે આપણી આસપાસ છે, એ કુદરતને ખોળે બેસી ઝાઁખીએ. વડીલો, અભ્યાસીઓની, વાતો સમજવાનો પ્રયત્ન કરીએ.

    જન્મજાત તન કે મનના રોગી, ભૂખને સઁતોષવાની ક્ષમતા ન ધરાવતા, ગુલામ તરીકે જન્મેલા છે એને ઉદ્દેશીને આ કવિતા લખાઈ છે. ત્યાઁ પણ ભૂલ છાપ હોય એ માનવા મન તૈયાર થતુઁ નથી, પણ પ્રશ્ન જરૂર થાય, “આવુઁ કેમ?” કેમકે નાનામા નાનુ જીનેતિક અવતરણ જેવુઁ કે બરફનો ફોરો, એનો માઇક્રોસ્કોપમા જોતા આકાર કેટલો સુન્દર અને વ્યવસ્થિતછે! તો આ જગતનો નિયન્તા આવી આપણે ધારીએ છીએ એવી ભૂલ કરે ખરો?

  5. જયેન્દ્ર ઠાકર said,

    June 6, 2011 @ 8:51 AM

    ખુદાએ તો આપણને કોરી કિતાબ આપી હતી….આ બધા છબેડા આપણે જ કર્યા છે!!

  6. Girish Parikh said,

    June 6, 2011 @ 3:46 PM

    શિકાગો લેન્ડમાં ગુજરાતી ભાષા વૈભવ
    નીચેનો અહેવાલ અને પ્રતિભાવો વાંચવા વિનંતી કરું છું:
    http://kavyadhara.com/?p=2648#comments

  7. Girish Parikh said,

    June 7, 2011 @ 10:23 AM

    ઉપરની કોમેન્ટ ભૂલથી પોસ્ટ થઈ છે.

  8. DHRUTI MODI said,

    June 7, 2011 @ 4:44 PM

    સુંદર અછાંદસ.

  9. Lata J Hirani said,

    June 8, 2011 @ 8:03 AM

    કોઇ દેખીતા કારણ વગર કોઇનુ સુખ અને કોઇનુ દુખ જોઇઍ ત્યારે કર્મફળ અને જન્મોજન્મની થીઅરીમાઁ ચોક્કસ શ્રદ્દ્ધા બેસે.

  10. Kishor Ahya said,

    April 11, 2025 @ 7:25 PM

    સુ શ્રી અમૃતા પ્રીતમ નું આં અછાંદસ કાવ્ય એક જબરજસ્ત ચર્ચાનો વિષય છે .
    કહે છે ચાંદ અને સૂરજ થી શોભતી ધરતી ખૂબ સુંદર છે તો પછી હે ખુદા !આ દુઃખો ભય ભૂખ અને ગુલામી પણ તારા જ છે છે કે કોઈ છાપ ભૂલો?(અહિયા પ્રિન્ટિંગ વખતે છાપ ભૂલો થઈ જાય છે તેવી કોઈ ભૂલ થઈ ગઈ છે?)

    આ પૃથ્વી પર મનુષ્ય નો જન્મ ક્યારે થયો છે તે કોઈ જાણતું નથી
    પણ જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી એની જાણ જ્યારથી મનુષ્ય ને થઈ હશે ત્યારે તે દિવસે કોઈ ઈશ્વરનો જન્મ થયો હશે!

    ઉપનિષદ કહે છે ઈશ્વર છે કે નહિ તે કોઈ જાણતું નથી અને હોય તો પણ તેની જાણ ઈશ્વરને છે કે નહિ તે કહી શકાય નહિ.

    ચીનના દાર્શનિક Laotzue એ તેમના પુસ્તક ‘તાઓ તેહ ચિંગ’ માં ઈશ્વર વિશે કહ્યું છે, ‘ એ કદાચ જે છે તેનું પ્રતિબિંબ માત્ર છે’

    ઉંમર ખ્યયામે તેની રુબાઈઓ માં કહ્યું છે ઉપર જોશો નહીં ત્યાં કોઈ નથી. પ્રાથના કરશો નહિ ત્યાં સાંભળવા વાળુ કોઈ નથી.

    આ આધ્યાત્મિક સંતો છે તેમાં કોઈ નાસ્તિક નથી પરંતુ એમને પોતાને થયેલા અનુભવથી સત્યની કઇક જાણકારી મળી હશે કે અસ્તિત્વ તટસ્ત છે. Laotzue કહે છે, અસ્તિત્વ મનુષ્ય અને ઘાસના એક તિલકા વચ્ચે કોઈ ફરક કરતું નથી.

    અછાંદસ મજાનો છે કોઈ દાર્શનિક એ કહ્યું છે ‘ઈશ્વર એક અનિવાર્ય અનિષ્ઠ છે; ઈશ્વરની ધારણાં ને કારણે મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પ્રેમ પેદા થવો જોઈએ તેની જગ્યા એ ઘણા ધાર્મિક પંથો, સંપ્રદાયો પેદા થયા અને તેને લીધે મનુષ્ય અને મનુષ્ય વચ્ચે ઘર્ષણ અને ભેદભાવો વધ્યા તો પણ અનિવાર્ય અનિષ્ઠ કેમ કહ્યું? કારણ કે આપણને ઈશ્વર વિના ચાલતું નથી.

    ઈશ્વર ની ધારણા ને કારણે મનુષ્ય ચિંતા મુકત રહિ શકે છે ,પ્રાથના જન્મે છે ઈશ્વર પાસે માંગી શકાયછે તેવી ધારણાને કારણે જીવન આશાવાદી બને છે. જો ઈશ્વર નથી તેમ માની થોડા દિવસ જીવવાનો પ્રયત્ન કરી જોઈએ તો ઈશ્વરની અહેમિયત આપણા જીવનમાં કેટલી છે તેનો ખ્યાલ આવે. ઈશ્વરીય રહસ્ય કોઈએ જાણ્યું નથી, શકય પણ નથી . જીવનમાં ફરિયાદો ને સ્થાન છે એ માટે આપણે ઈશ્વર સાથે સંવાદ જરૂર કરી શકીએ પણ જે થાય તે સારા માટે એવી ધારણાં પ્રચલિત છે તેને માનીએ તો ભય ભૂખ દુઃખ ગુલામી પણ સારા માટે હોય શકે?

    કવિતિત્રી એ ખૂબ ચિંતનશીલ સવાલ પૂછી અછાંદસ ને વેધક બનાવ્યો છે. સરસ અછાંદસ છે.
    🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment