જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
– કિરીટ ગોસ્વામી

નથી – સુધીર દવે

જે   છે  તે  છે,   ને  જે  નથી  તે  નથી.
નથીને છે કરવાનો વ્યર્થ કોઇ અર્થ નથી.

***

છે બધું, તત્ક્ષણ નથી,
કોઇને રક્ષણ નથી.

ઝાંઝવાને જઇ કહો,
તું નથી, હું પણ નથી.

સોનું ક્યાં સુંદર બને?
સાથ જો ઝારણ નથી.

વાત જે અધ્ધર કરે,
એ ખરો ચારણ નથી.

લોક તો કૈં પણ કહે,
વાતમાં કારણ નથી.

સત્યનું તો છે વજન,
એનું કૈં ભારણ નથી.

ભલ ભલો મનુષ્ય પણ,
કોઇનું તારણ નથી.

સુધીર દવે

ચાલીસ વર્ષથી ડલાસમાં સ્થાયી થયેલા શ્રી. સુધીર દવેના બે કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે – ‘પ્રયાસ’ અને ‘અનુભવ’. સુધીરભાઇ કવિ ઉપરાંત સારા ગાયક અને સંગીતજ્ઞ પણ છે.

4 Comments »

  1. Umang Jani said,

    January 3, 2007 @ 9:07 PM

    Excellent

  2. ધવલ said,

    January 3, 2007 @ 10:20 PM

    વાત જે અધ્ધર કરે,
    એ ખરો ચારણ નથી.

    – ખરા કવિ અને ખરી કવિતાની આ સરળ કસોટી !

  3. Vijay Shah said,

    January 5, 2007 @ 12:26 AM

    સરસ

  4. paresh jani said,

    July 4, 2011 @ 7:39 AM

    nice

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment