બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી,
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી.
‘તું જ કર’થી ‘તું કશું ના કર’ સુધી,
પ્રેમ નક્કરથી ગયો જર્જર સુધી.
– પ્રમોદ અહિરે

મુક્તક -રમેશ પારેખ

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !

-રમેશ પારેખ

8 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    October 6, 2010 @ 12:44 PM

    ર.પા.ના મુકતકોમાં સર્જાતી ચમત્કૃતિ માણવા જેવી તો ખરીજ,સાથે-સાથે શીખવા જેવી ય ખરી….
    સુંદર મુક્તક.

  2. Rutul said,

    October 6, 2010 @ 5:09 PM

    વાહ! બહુ સરસ કાવ્ય અને વિચાર…વિચારના વર્તુળની બહાર હોઇ શક્વુ અને જિન્દગીમાંથી ફરાર હોઈ શકવુ – એ જ બહુ જટિલ સંઘર્ષ હોય છે.

  3. વિહંગ વ્યાસ said,

    October 6, 2010 @ 10:23 PM

    સુંદર મુક્તક.

  4. prabhat chavda said,

    October 7, 2010 @ 12:24 AM

    vah dada vah jindgi mathi farar hoi saku khub sarash,.,.,.,.,.,.,.,

  5. Kirtikant Purohit said,

    October 7, 2010 @ 2:49 AM

    સરસ માણવા અને વિચારવાલાયક મુક્તક.

  6. ધવલ said,

    October 7, 2010 @ 7:31 AM

    જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !

    – સરસ !

  7. pragnaju said,

    October 7, 2010 @ 8:20 AM

    સરસ મુક્તક.

  8. jigar joshi 'prem' said,

    October 7, 2010 @ 9:17 AM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment