આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.
વિવેક મનહર ટેલર

સનાતન અસ્તિત્વ – લાભશંકર દવે

ઊતરી ગયું છે પાણી બધું ચાસેચાસમાં
એનો વિકાસ થાય છે આ લીલા ઘાસમાં.

હું ફૂલ એનાં જોઈને નિશ્ચિંત થઈ ગયો !
મારું કફન વણાઈ રહ્યું છે કપાસમાં !

મારો અભાવ કેવો લીલછમ બની ગયો !
ઊગી ગયું છે ઘાસ કબરની આસપાસમાં.

તું એને શોધવાના પ્રયાસો ન કર હવે,
એ પણ કદાચ હોય તારા શ્વાસેશ્વાસમાં !

– લાભશંકર દવે

નવીન કલ્પનોથી સજાવેલી આ ગઝલને સનાતન અસ્તિત્વ એવું નામ આપીને કવિએ આખો નવો અર્થ આપ્યો છે. એના સંદર્ભમાં ગઝલને સમજવાનો પ્રયાસ કરો તો અર્થનું એક વધારે પડ ઉઘડે છે.

5 Comments »

  1. Naman Dave said,

    June 7, 2011 @ 10:03 PM

    I’m Labhshankar Dave’s grandson. He was a special person to me and to my family. It is a great honour to have this blog. Check out his ghazal book, Sannidhi.

    Regards,
    Naman

  2. ધવલ said,

    June 8, 2011 @ 5:05 PM

    આભાર ! કવિતા જ સુંદર છે. આવતા વખતે ઈન્ડિયા જઈશ ત્યારે ‘સંન્નિધિ’ ક્યાંકથી શોધી કાઢીશ.

  3. અંજલિ said,

    June 10, 2011 @ 5:57 AM

    સરસ સરસ! બાપુજીનો બ્લોગ જોઇ ખુશ થઈ.

  4. Kamlesh Dave said,

    January 6, 2014 @ 12:34 AM

    બહુજ સરસ આ ગઝલ સ્ન્ન્ધિ મા બધિ જ ગઝલ સારિ ૬.
    સરસ! બાપુજીનો બ્લોગ જોઇ ખુશ થ્યો. મોબિલે નમ્બર ૯૯૦૪૧-૧૯૩૫૫ વેરાવલ સોમનથ

    It is a great honour to have this blog

  5. Dhaval Shah said,

    January 6, 2014 @ 2:20 PM

    કમલેશભાઈ, આભાર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment