એ બારણે – ચેતન જે. શુક્લ ‘ચેનમ’
આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.
એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.
સાવ પત્થરના ઘરે પણ કંઈક પત્થર જીવતા,
કાચ જેવી ચકચકિત સમજણ નથી એ બારણે.
એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,
એ ભરીને રાખવા વાસણ નથી એ બારણે.
રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.
– ચેતન જે. શુક્લ ‘ચેનમ’
કવિતા જે-તે સમાજનો જે-તે સમયનો અરીસો છે. આજે ભલે આંગણે તુલસી અને બારણે તોરણ હવે બધે જોવા મળતાં નથી પણ અહીં એ એક નક્કર પ્રતીક અને પ્રવર્તમાન સમાજનો અરીસો બનીને ગઝલમાં મજબૂતીથી ઉપસી આવ્યાં છે. બાકીના શેર પણ એ જ રીતે આસ્વાદ્ય થયા છે…
Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,
June 3, 2017 @ 6:44 AM
વાહહ…સરસ અભિવ્યક્તિ
ketan yajnik said,
June 3, 2017 @ 6:49 AM
એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,”
અભિનંદન
jigar joshi said,
June 3, 2017 @ 7:48 AM
વાહ
મનોજ શુક્લ said,
June 3, 2017 @ 9:38 AM
એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.
– – વાહ – ખુબ સરસ.
Rakesh Thakkar, Vapi said,
June 3, 2017 @ 10:41 AM
સરસ.
રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.
Vineshchandra Chhotai said,
June 4, 2017 @ 11:55 AM
Performance is important some time
Pravin Shah said,
June 5, 2017 @ 11:11 PM
સરસ્.
La' Kant Thakkar said,
June 7, 2017 @ 1:55 AM
બારણું આવન-જાવનનું પ્રતીક,સમય સંગે ગતિનું પણ પ્રતીક ,જીવનમાં આવતા ફેર્-બદલાવ અવિનાભાવે જોડાયેલા છે !
સ્મૃતિતો મનનું કારણ,બારણાનો યાદના રજકણ સાથેનું જોડાણ , એ ભિતેર હ્પોય એવું “ચિત્ર” બાહર દેખાય .
સૌરભભાઈ ભટ્ટ said,
June 7, 2017 @ 11:10 PM
ખૂબજ સુંદર રચના…
CHETAN SHUKLA said,
June 9, 2017 @ 2:27 AM
આભાર વિવેકભાઈ તથા સમગ્ર લયસ્તરો ટીમ……
yogesh shukla said,
June 10, 2017 @ 9:51 PM
આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.
વાહ કવિ શ્રી ચેતનભાઈ વાહ ,,,સુંદર રચના ,,,