શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

વિવેક મનહર ટેલર

થાય છે – હરદ્વાર ગોસ્વામી

લાખ ઇચ્છાઓને અવઢવ થાય છે,
એક સપનું ત્યારે સંભવ થાય છે.

ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ,
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે.

દ્વાર દિલનાં ખોલવાં પડશે હવે,
પાંપણે કોઈના પગરવ થાય છે.

પથ્થરોના દિલને પ્હોંચે ઠેસ, તો
ડુંગરોના દેશમાં દવ થાય છે.

કેમ ચાહું કોઈ બીજાને, ગઝલ ?!
એક ભવમાં દોસ્ત, બે ભવ થાય છે.

– હરદ્વાર ગોસ્વામી

સરળ ભાષામાં હૃદયસ્પર્શી વાતો… પણ આખરી શેર તો શિરમોર. ગઝલ સિવાય કોઈ બીજાને ચાહવું માત્ર એ કવિ માટે તો એક ભવમાં બે ભવ કરવા જેવું પાતક છે… આનાથી ચડિયાતી ગઝલ પરસ્તી બીજે ક્યાં જોઈ શકાય? વાહ કવિ…

3 Comments »

  1. aasifkhan said,

    October 16, 2015 @ 5:14 AM

    ગોસ્વામી જિ નિ સરસ ગઝલ

  2. KETAN YAJNIK said,

    October 16, 2015 @ 7:32 AM

    સરસ્

  3. yogesh shukla said,

    October 16, 2015 @ 9:24 PM

    ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ,
    શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે.
    વાહ ,,,વાહ ,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment