એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

આ દેશને માટે – શેખાદમ આબુવાલા

આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ

– શેખાદમ આબુવાલા

3 Comments »

  1. Pinki said,

    March 12, 2008 @ 12:38 AM

    કરુણ વાસ્તવિકતા…
    સરસ વ્યંગાત્મક મુક્તક !!

  2. pragnaju said,

    March 12, 2008 @ 9:53 AM

    ગાંધીજીના ૧૧ વ્રતો –
    જેમાં એક અહીંસા પણ છે –
    ત્યારે હાલની સ્િથતી
    -હિંસા એક વ્યાધિ થઈ ગઈ
    વાચી ગમગીની થઈ !
    નાના મુક્તકમાં
    ઘણું કહી દીધું—

  3. વિવેક said,

    March 13, 2008 @ 1:15 AM

    સાચી અને કડવી વાત..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment