નહીં કરું… – રઈશ મનીઆર
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.
આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.
પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.
બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હું ય પછી પ્રીત નહીં કરું.
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
– રઈશ મનીઆર
આમ સરળ લગતી ગઝલમાં પ્રત્યેક શેર તત્વ સુધી પહોંચવાની મથામણનો છે…..
વિવેક said,
October 3, 2016 @ 2:26 AM
જાણીતી ઉત્તમ ગઝલ…
ફરી ફરી માણવી ગમે એવી… મત્લા તો ચિરકાલિન સર્વશ્રેષ્ઠ શેરમાં સ્થાન પામે એવો…
NAREN said,
October 3, 2016 @ 4:17 AM
KHUB SUDNAR RACHNAA
Jigar said,
October 3, 2016 @ 6:17 AM
વાહ..ખુબ સરસ
KETAN YAJNIK said,
October 4, 2016 @ 12:15 AM
કબૂલ
Rakesh Thakkar, Vapi said,
October 5, 2016 @ 2:12 AM
સુંદર.
આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.
Yogesh Shukla said,
October 6, 2016 @ 3:48 PM
સરસ રચના , અદભુત ,
પહેલા શેરથીજ રચના પર પકડ ,
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
અને છેલ્લો શેર પણ દમદાર ,
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
Dipal Upadhyay said,
October 9, 2016 @ 10:22 PM
ખુબ સુંદર
yogesh shukla said,
May 9, 2017 @ 10:44 PM
વાહ કવિ શ્રી ,
બધાજ શેર દમદાર ,
ખાસ કરીને ,
આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.