મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
ઓજસ પાલનપુરી

ગણવાના હતા – ભરત વિંઝુડા

બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.

નાવમાં જો મૂકી દીધા હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.

પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.

ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જ પલળવાના હતા.

બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.

કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.

– ભરત વિંઝુડા

કવિના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

જિંદગીનો દાખલો તો સાદો જ હોય છે, આપણે જ ગણિતમાં ગરબડ કરી બેસીએ છીએ, ખરું ને?

3 Comments »

  1. Pravin Shah said,

    September 22, 2022 @ 3:59 PM

    તદ્ ન સાચુ !

  2. pragnajuvyas said,

    September 22, 2022 @ 11:56 PM

    કવિ ભરત વિંઝુડાના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું સહૃદય સ્વાગત…
    કવિ વિંઝુડાએ સાવ સરળ શબ્દોમાં મર્માળી વાત કરવામાં માહેર છે.
    બે અને બે ચાર કરવાના હતા,
    દાખલા સાદા જ ગણવાના હતા.
    મત્લામા મર્મ સમજાઇ જાય છતા-વિશ્વમા-બે વત્તા બે બરાબર પાંચ તરીકે લખવામાં આવે છે, તે ગણિતનું સમીકરણ છે જેનો ઉપયોગ ઘણીવાર બૌદ્ધિક અને સામાજિક નિયંત્રણના સાધન તરીકે સરમુખત્યારશાહી સરકારો અને વિચારધારાઓ દ્વારા સ્પષ્ટ જૂઠાણાંના પ્રચારને રજૂ કરવા માટે થાય છે. વધુમાં, તેનો ઉપયોગ ગણિતમાં અનિશ્ચિતતા વિશેના વિચારોને સમજાવવા માટે કરવામાં આવ્યો છે, કેટલાક એવી દલીલ કરે છે કે ચોક્કસ સંજોગોમાં સમીકરણ સાચા હોઈ શકે છે.
    હોનોરે ડી બાલ્ઝાકે કહ્યું:’આમ, તમે ક્યારેય, બધી પ્રકૃતિમાં, બે સરખા પદાર્થો શોધી શકશો નહીં; કુદરતી ક્રમમાં, તેથી, બે અને બે ક્યારેય ચાર બનાવી શકતા નથી, કારણ કે, તે પરિણામ પ્રાપ્ત કરવા માટે, આપણે એવા એકમોને જોડવા જોઈએ જે બરાબર એકસરખા હોય, અને તમે જાણો છો કે એક જ વૃક્ષ પર બે પાંદડા એકસરખા અથવા બે શોધવા અશક્ય છે. વૃક્ષની સમાન પ્રજાતિમાં સમાન વ્યક્તિઓ. તમારી સંખ્યાનો તે સ્વયંસિદ્ધ, દૃશ્યમાન સ્વભાવમાં ખોટો છે, તે જ રીતે તમારા અમૂર્તતાના અદ્રશ્ય બ્રહ્માંડમાં પણ ખોટો છે, જ્યાં તમારા વિચારોમાં સમાન વિવિધતા જોવા મળે છે, જે તેમના આંતરસંબંધો દ્વારા વિસ્તૃત દૃશ્યમાન વિશ્વના પદાર્થો છે; ખરેખર, તફાવતો અન્યત્ર કરતાં ત્યાં વધુ આઘાતજનક છે.
    મિખાઇલ બકુનિને કહ્યું કે જુલાઇ રિવોલ્યુશન ની શરૂઆતમાં ફ્રેન્ચ હકારાત્મકવાદીઓના રાજકીય સમાધાનોએ તેમની મધ્ય-ઓફ-ધ-રોડની મધ્યસ્થતાની પુષ્ટિ કરી: “ડાબેરીઓ કહે છે, 2 ગુણ્યા2 = 4 છે; જમણેરી, 2 વખત 2 એ 6 છે; અને જસ્ટ-મિલ્યુ કહે છે, 2 ગુણ્યા 2 = 5 છે”.
    ધ કલ્ટ ઓફ ધ એમેચ્યોર: હાઉ ટુડેઝ ઈન્ટરનેટ ઈઝ કિલિંગ અવર કલ્ચર માં, મીડિયા વિવેચક એન્ડ્રુ કીન ટીકા કરવા માટે “બે વત્તા બે બરાબર પાંચ” સૂત્રનો ઉપયોગ કરે છે.
    દો ઔર દો પાંચ હિન્દી એક્શન કોમેડી મૂવી છે જેનું નિર્માણ દેવર ફિલ્મો દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું દિગ્દર્શન રાકેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
    ધન્યવાદ ડો વિવેકજી

  3. Varij Luhar said,

    September 24, 2022 @ 12:22 AM

    ખૂબ સરસ ગઝલ સંગ્રહ માટે કવિશ્રી ભરત વિંઝુડાને અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment