જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા

હાસ્યમેવ જયતે : ૧૧ : કબર-કાવ્યો – મુકુલ ચોકસી

આજે એક નવતર હાસ્ય-કવિતાના પ્રયોગની વાત કરાવી છે જેના વિષે બહુ લોકો જાણતા નથી. છેક 1984ની સાલમાં મુકુલભાઈએ કબર-કાવ્યોનો આ પ્રયોગ કરેલો. સાહિત્યકારો ગુજરી જાય (ભગવાન કરે એવું ન થાય) અને એમની કબર બનાવવામાં આવે તો એ કબર પર epitaph એટલે કે સમાધીલેખ તરીકે શું લખી શકાય એની કવિએ રમૂજમાં કલ્પના કરી છે. દરેક સાહિત્યકારની લાક્ષણિકતાને પકડીને એને નાનકડી કવિતાના રૂપમાં ઢળવાનું કામ બારીક નિરીક્ષણ-શક્તિ, વિચક્ષણ વિનોદવૃત્તિ અને ભાષાની જડબેસલાક હથોટી માંગી લે છે. મુકુલભાઈની રચનાઓ આ ત્રિવિધ કસોટી પર ખરી ઉતારે છે. વધારે જોવાની વાત એ છે કે આ હાસ્ય-કવિતાઓ જેટલી માર્મિક છે એટલી જ નિર્દંશ પણ છે.

સ્નેહરશ્મિનો હાઈકુ-પ્રેમ, સુરેશ દલાલનું કવિ કરતા વધારે કાવ્ય-પ્રચારક હોવું, લાભશંકરની એબ્સર્ડ કવિતાઓ, જયંત પાઠકનું ‘વનાંચલ’માં વણાયેલું શૈશવ, રાજેન્દ્ર શુક્લના અલગ જ શબ્દ ને શૈલી, ઉશનસનું વિપુલ સર્જન, સુમન શાહનો આક્રમક સ્વભાવ, રઘુવીર ચૌધરીની ખુમારી, ચંદ્રકાન્ત ટોપીવાલાનો વિવેચન-પ્રેમ, સ્ત્રીઓની એકમત થવાની અક્ષમતા, ચંદ્રકાન્ત બક્ષીની વાર્તાઓના અણધાર્યા વળાંકો અને ચિનુ મોદીનો નિરાંતનો જીવ એ બધું અહીં વણી લીધું છે.

કબર-કાવ્યોને જે સ્વરૂપે પ્રગટ થયેલા એ જ મૂળ સ્વરૂપમાં અહીં રજુ કર્યાં છે. ‘કર્સર’ને નીચે કવિતા પર લઇ જશો એટલે ડાબી અને જમણી બાજુ ‘એરો’ દેખાશે. એને દબાવશો એટલે એક પછી એક કબર-કાવ્ય દેખાતા જશે.

(આ કાવ્યો મેળવીને મોકલી આપવા બાદલ રઈશભાઈ અને મુકુલભાઈ બંનેનો ખાસ આભાર.)

 

2 Comments »

  1. વિવેક said,

    December 11, 2020 @ 7:28 AM

    સરસ !!

    Rare gems…

  2. pragnajuvyas said,

    December 11, 2020 @ 10:50 AM

    આજે નવતર હાસ્ય-કવિતાના પ્રયોગમા કબર કાવ્યોએ મજા કરાવી
    યાદ આવે
    મર મર કર મુસાફીરોને બસાયા હૈ તુજે
    રુખ સબસે ફીરાકે મુંહ દીખાયા હૈ તુજે
    ક્યું લીપટકર ન સોંઉ તુઝે અય કબ્ર
    મૈંને ભી તો જાન દેકે પાયા હૈ તુજે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment