મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.
વિવેક મનહર ટેલર

ગઝલ – શેખાદમ આબુવાલા

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા

ચાર શેરની આદમની આગવી શૈલીની મનહર ગઝલ… કવિ સ્વર્ગ માંગે છે પણ પાપ કરવાની છૂટ હોય એવું. અને પાપ કર્યા પછી ભાગી ન શકાય એ માંગવાની ફિતરત પણ એ ધરાવે છે. કરેલાનું ફળ વેઠવાની તૈયારી સાથે કરવા ન મળે તો જીવવું વ્યર્થ લાગે એવા કેટલાક ‘પાપ’ સ્વર્ગમાં પણ છોડવા તૈયાર ન હોય એવો કોઈ માણસ તમને રસ્તે મળે તો એના ઑટોગ્રાફ માંગી લેજો- એ શેખાદમ જ હોવાનો!

11 Comments »

  1. Pratik Chaudhari said,

    August 30, 2008 @ 5:47 AM

    મને સહુથી વધુ ગમેલો શેરઃ
    આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
    હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

  2. કૃતિ શાહ said,

    August 30, 2008 @ 7:39 AM

    “એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
    ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના”

    અત્યંત મર્મસ્પર્શી રચના!!

    અભિનંદન.

  3. pragnaju said,

    August 30, 2008 @ 8:29 AM

    સુંદર ગઝલ
    આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
    હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

    એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
    એને મળું અને ગળે લાગી શકાય ના.

    વાહ્

  4. Lata Hirani said,

    August 30, 2008 @ 1:18 PM

    આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
    હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

    સલામ

    લતા હિરાણી

  5. મન્સૂરી તાહા said,

    August 30, 2008 @ 11:40 PM

    એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
    ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.
    બહોત ખુબ.

  6. પ્રતિક ચૌધરી said,

    August 31, 2008 @ 1:13 AM

    “આદમ”ની આ ગઝલ વાંચીને મને પણ એક શેર લખવાનું મન થયુ પણ શું કરુ…..

    “રદિફ ને કાફિયામાં ગઝલ લખાતી નથી
    અનેક છંદોની વણઝાર સેહવાતી નથી”

  7. mahesh dalal said,

    August 31, 2008 @ 9:35 AM

    શેખાદમ ને લાવિ ને મનભાવન કવિ તા નો આ નન્દ મલ્યો..

  8. mahesh dalal said,

    August 31, 2008 @ 9:35 AM

    શેખાદમ ને લાવિ ને મનભાવન કવિ તા નો આ નન્દ મલ્યો..

  9. કુણાલ said,

    September 1, 2008 @ 1:26 AM

    દરેક શેર લાજવાબ .. ખુબ જ ઉમદા ગઝલ ..

  10. ગુંજન ગાંધી said,

    September 1, 2008 @ 2:07 PM

    આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
    હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

    ક્યા બાત હૈ..એક બીજો આવો શેર યાદ આવે શેખાદમ –

    હું પાપ ના કરું એ ખરું, પણ જરી વિચાર!
    ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે?

    એમની બીજી એક સુંદર ગઝલ એમના જ અવાજમાં –

    http://www.gunjarav.com/2008/08/blog-post_13.html

  11. Piyush M. Saradva said,

    May 30, 2010 @ 2:35 AM

    એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
    એને મળું અને ગળે લાગી શકાય ના.

    સરસ શેર છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment