ચામડીમાં વણાઈ એકલતા
હોય ચાદર તો એને ખંખેરું
નયન દેસાઈ

નીકળવું છે -હરજીવન દાફડા

વારા ફરતી વારામાંથી નીકળવું છે
મારે આ જન્મારામાંથી નીકળવું છે

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
જગની જર્જર ધારામાંથી નીકળવું છે

કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
મારે તારા-મારામાંથી નીકળવું છે

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે

– હરજીવન દાફડા

(સંપૂર્ણ ગઝલ માટે આભાર, નીરજ મહેતા અને જનક દેસાઈ. નીચે કોમેંટ જુઓ.)

11 Comments »

  1. Suresh said,

    June 3, 2006 @ 5:23 AM

    ભીતરના અજવાળામાંથી નીકળવાની વાત ગમી. પણ આ પુનર્જન્મની માન્યતા પરનો આંધળો વિશ્વાસ આપણામાં આ જન્મારા માટે આટલી બધી અસૂયા પેદા કરે છે તે ન ગમ્યું.
    પુનર્જન્મમાં માનીએ તો પણ મને તો નરસૈયાની આ પંક્તિનો ભાવ બહુ જ ગમે છે-
    ‘વૈકુંઠ નથી વ્હાલું રે!માંગું જન્મો જન્મ અવતાર રે!’

  2. Niraj Mehta said,

    February 13, 2007 @ 12:57 AM

    this ghazal is incomplete i’ll give you full to repost

  3. Niraj Mehta said,

    March 6, 2007 @ 2:49 AM

    વારા ફરતી વારામાંથી નીકળવું છે
    મારે આ જન્મારામાંથી નીકળવું છે

    સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
    ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

    કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
    જગની જર્જર ધારામાંથી નીકળવું છે

    કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
    મારે તારા-મારામાંથી નીકળવું છે

    અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
    ભીતરના અંધારામાંથી નીકળવું છે
    – હરજીવન દાફડા

  4. shaileshpandya BHINASH said,

    August 5, 2007 @ 5:19 AM

    kya bat hai………..good sprituality…….

  5. suresh said,

    February 23, 2010 @ 5:15 AM

    ajvala na svami thodo teko karjo
    bitar na andhara mathi nikalvu chhe
    vah, kya bat he.
    ajvala na svami saras prayog chhe

  6. mahesh bagda said,

    February 24, 2010 @ 2:38 AM

    aapni gazale gujrati sahityane nava v aayam pradan karavya chhe… aapni gazalma ajvala swami…ne aape bkhubi pryojyu chhe… aapne khub khub abhinandan…

  7. mahesh bagda said,

    March 7, 2010 @ 9:18 AM

    aapni gazale gujrati sahityane nava v aayam pradan karavya chhe… aapni gazalma ajvala swami…ne aape bkhubi pryojyu chhe… aapne khub khub abhinandan…

  8. નિનાદ અધ્યારુninad_adhyaru@yahoo.com said,

    April 4, 2010 @ 8:29 AM

    અજવાળાના સ્વામીને સલામ…!

  9. "kavi savariya" said,

    December 31, 2010 @ 2:56 PM

    અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
    ભીતરના અંધારામાંથી નીકળવું છે
    અજવાળાના સ્વામીને સલામ…!

    – મહેશ બગડા

  10. janak desai said,

    September 29, 2013 @ 4:29 PM

    વારા ફરતી વારામાંથી નીકળવું છે
    મારે આ જન્મારામાંથી નીકળવું છે

    જન્મોથી હું એની અંદર જકડાયો છું,
    ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

    તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
    મારે તારા-મારામાંથી નીકળવું છે;

    કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
    સંસારી આ ધારામાંથી નીકળવું છે;

    સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
    ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

    કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
    જગની જર્જર ધારામાંથી નીકળવું છે

    કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
    મારે તારા-મારામાંથી નીકળવું છે

    અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
    ભીતરના અંધારામાંથી નીકળવું છે ……….- હરજીવન દાફડા

  11. ધવલ said,

    September 30, 2013 @ 4:02 PM

    આભાર જનકભાઈ, ખૂટતા શેર ઉપર ઉમેરી દીધા છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment