કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

મૌનનો પડઘો : ૦૫: મૂલ્યોનો ઉથલો – લાઓઝી

144597_full_1024x662

આકાશ તળે, પાણીથી વધુ કોમળ અને વધુ ઇચ્છાનુવર્તી બીજું કશું નથી.
અને તોય જ્યારે એ નક્કર, સખત પદાર્થો પર આક્રમણ કરે છે,
એમાનું કોઈ એની સામે જીતી શકતું નથી.
કારણ તેઓ પાસે એને ખસેડી શકે એવું કશું નથી.
એ જે સાનુકૂળતા તાકાત સામે જીતી જાય છે;
એ જે કોમળતા સખ્તાઇ સામે જીતી જાય છે,
એ વાત સામાજીક વિશ્વમાં કોઈ પણ સમજી શકવામાં નિષ્ફળ રહે છે.
કોઈ પણ એનો મહાવરો કરી શકતું નથી.
માટે જ સાધુઓએ કહ્યું છે,
સ્થિતિની અપૂર્ણતાનો સ્વીકાર કરો.
સાચું પ્રવચન એ વિરુદ્ધોને પલટાવવા જેવું છે.

-લાઓઝી
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા આપણી રુઢિગત વિચારધારાથી સાવ અલગ છતાં નકરી સચ્ચાઈભરી છે. કોઈ પણ સખત પદાર્થ સામે પાણી વિરોધ કર્યા વિના ઝૂકી જાય છે પરિણામે એ જીતી જાય છે. પાણીને જે રંગમાં મેળવો, એ રંગે રંગાઈ જાય છે, જે પાત્રમાં ભરો એનો આકાર લઈ લે છે. પાણી વિરોધ નથી, સમર્પણ છે માટે એ અજેય છે. આ કોમન સેન્સ છે પણ લોકો સમજી શકતા નથી. જીવનમાં જે અપૂર્ણતા છે એનો સ્વીકાર કરી લેવો એ પોતે અપૂર્ણતાથી મુક્તિ મેળવવા બરાબર છે. આપણી જિંદગી પૂર્ણતાની પ્રાપ્તિ પાછળ દોડવામાં પૂરી થઈ જાય છે. સ્થિતિનો યથાતથ સ્વીકાર એ જ ખરી પૂર્ણતા છે. આપણા પ્રવચનો, ધર્મ, ઉપદેશ એ વિરોધી વસ્તુઓને સાચું સાબિત કરવા જેવા છે.

નિરપેક્ષ સંપૂર્ણ તાટસ્થ્ય એ ઝેન વિચારધારાનો પ્રાણ છે, જો સમજી શકાય તો !

4 Comments »

  1. Rina said,

    December 7, 2012 @ 2:02 AM

    Beautiful……Awesome aaswaad ….

  2. Maheshchandra Naik said,

    December 7, 2012 @ 9:43 AM

    મૌનનો પડઘો ઝેન વિચારધારા દ્વારા સાંભળી શકાય છે…………………

  3. pragnaju said,

    December 7, 2012 @ 10:50 AM

    ખૂબ્ સુંદર
    આસ્વાદ ચીંતનપૂર્ણ
    યાદ
    તમારા વખાણ ધીમા સ્વરે કરવા બદલ મને માફ કરજો
    પરંતુ તમારા માટેનું માન જ
    મારી પાસે માંગે છે
    વધારે પડતું બોલવાની આવી અનિચ્છા.
    કારણ
    હાથ ઉપર હાથ મુકાય છે ત્યાં ઉતરે છે મૌન .

    માફ કરજો કે મારા શબ્દો આવે છે પાતળા અને ધીમા.
    પરંતુ વાચાળતા માટેનો આ ના હોઈ શકે સમય
    કારણકે જીવને શાતા થાય છે એની સાથે જ
    અવતરે છે મૌન.

    આપણે ઓછું જાણીએ છીએ એ જ બોલીએ છીએ.
    અને મને ખબર છે કે મારું પ્રેમપાત્ર મને ઓળખે છે.
    તમારી પૂર્ણતા મને કરે છે મુક્ત.

    તમે મારી વાચાળતાને લઇ લીધી છે મારા ડરની સાથે.

    માફ કરજો કે હું અહીં ઉભો છું મૂંગો,
    પણ
    શબ્દોથી નહિ ચૂકવી શકું તમારું ઋણ.

  4. Darshana bhatt said,

    December 7, 2012 @ 1:33 PM

    મૌનનો પદઘો અને યદ્…બન્ને ચિન્તન પુર્ણ રહ્યા.
    સુન્દર ઝેન વિચારધારા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment