એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

ગઝલ – ઉર્વીશ વસાવડા

નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

– ઉર્વીશ વસાવડા

સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…

9 Comments »

  1. Manoj Joshi said,

    August 7, 2010 @ 2:55 AM

    Nice…thoughts are good..when people think do not thinks abt humans, their is someone, who is thinking abt enviornment…..great..! I welcome

  2. kanchankumari. p.parmar said,

    August 7, 2010 @ 5:57 AM

    નહિ મળે એક પર્ણ યે લિલુઃ બધી યે વનરાજિ ગ્રહિ ગઈ છે જ્વાળા !

  3. pragnaju said,

    August 7, 2010 @ 7:50 AM

    સુંદર ગઝલ
    આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
    આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

    નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
    પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
    જાણે અમારા વિચારો,,,વેદનામય અભિવ્યક્તીમા ઢાળી દીધા

  4. jigar joshi 'prem' said,

    August 7, 2010 @ 11:50 AM

    અતિ સુઁદર રચના….

  5. ધવલ said,

    August 7, 2010 @ 5:10 PM

    બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
    પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

    – અસરદાર !

  6. કિરણસિંહ ચૌહાણ said,

    August 7, 2010 @ 11:20 PM

    વૃક્ષની વ્યથા અને વાસ્તવિકતા વ્યક્ત કરતી સંવેદનશીલ ગઝલ.

  7. Bharat Trivedi said,

    August 8, 2010 @ 9:53 AM

    એક સરળ ઉપાય છે. એક કાવ્ય-સંચય છપાય ત્યારેય વૃક્ષની કત્લ થતી હોય છે! વૃક્ષનું બલિદાન સાર્થક થાય તેવું જ છપાતું હોય તો? આજકાલ જોવા મળતી ગઝલો કરતાં અલગ જ વિષયને લઈ આવતી આ ગઝલમાં મને ઘણો રસ પડ્યો.

    -ભરત ત્રિવેદી

  8. Viru said,

    August 9, 2010 @ 8:06 AM

    સુન્દર રચના

  9. Pushpakant Talati said,

    June 27, 2016 @ 12:34 AM

    ખરેખર સરસ સંદેશ છે. – પર્યાવરણ બચાવો ની દુનિયા આખી માં બુમરાણ પડી છે અને વૃક્ષ ની કોઈ ને ક્યાં પડી છે ? – આ સરસ ગઝલને મને એક વધારાની કડી જોડવાની ઈચ્છા થઈ – તેથી પ્રસ્તુત છે ઃ-
    -કુદરત લે છે સંભાળ પણ; માનવી આ સ્વાર્થથી
    – કાઢે નિકંદન વૃક્ષ નું – આ વૃક્ષ જીવે કઈ રીતે ?

    આભાર
    પુષ્પકાન્ત તલાટી નાં જયશ્રી રામ – જય હનુમાન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment