અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
રઈશ મનીઆર

ના રસ્તા કે ના ઝરણાં

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

-જયન્ત પાઠક.

1 Comment »

  1. Suresh Jani said,

    July 8, 2006 @ 6:23 PM

    માણસને બે ચીજનું આકર્ષણ – એક જિંદગીની રાહ શોધવાનું , ત્રિભેટે મૂંઝાવાનું અને પછી ભટક્યા કરવાનું – અને બીજું આનંદના, આશાના, સ્વપ્નોના ઝરણાં શોધવાનું.
    રસ્તાઓ તો ભેગા થાય અને પાછા જૂદા થઇ જાય. ઝરણાં તો એક મેકમાં મળી જાય અને રૂમઝુમતી નદી બની જાય.
    માણસને ના રસ્તો મળ્યો કે ના ઝરણું – એટલે બીચારો ત્રિશંકુની જેમ લટકતો જ રહ્યો.
    સુંદર ઉપમા …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment