કોણ માનશે- ‘રૂસવા’
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
- ‘રૂસવા’
*મોહતાજ = આશ્રિત

ધવલ said,
September 7, 2006 @ 10:19 pm
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
સરસ વાત ! ‘હા-ના’ ના ચકરાવામાંથી નીકળી જવું એક મોટી સિદ્ધિ છે.
Chetan Framewala said,
September 8, 2006 @ 10:53 am
રૂસવા સહેબની આટલી સુંદર ગઝલ રજુ કરવા બદલ આપનો આભાર .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
‘રૂસવા’ મઝલૂમી « ગુજરાતી સારસ્વત પરિચય said,
December 11, 2006 @ 6:56 am
[...] “ મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે ?” – મદીરા [...]
એક દુખદ સમાચાર « ગુજરાતી સારસ્વત પરિચય said,
February 14, 2008 @ 2:53 pm
[...] “ મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે ?” [...]
ડૉ. મહેશ રાવલ said,
February 14, 2008 @ 3:29 pm
યા ખુદા !
જનાબ રુસવા સાહેબની ચીરવિદાયથી ગુજરાતી ગઝલ /કવિતા ફરી એકવાર રાંક બની
રાજકોટનો છું એટલે કાવ્યબેઠકોમાં ઘણીવાર રુસવા સાહેબનું સાનિધ્ય સાંપડ્યું છે.
પિતાતુલ્યભાવથી એમણે,મારા જેવા અનેક ગઝલકારોને પ્રોત્સાહિત કર્યા છે
આજે,આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી ગણાશે-પણ
ગુજરાતી, ઉર્દુ, ભાષાવિદોમાં એમણે અંકિત કરેલો એક એક શબ્દ આપણને અહર્નિશ્ આશીર્વાદ અને માર્ગદર્શન પ્રદાન કરતો રહેશે.
સલામ છે, એ મોટા ગજાના માણસને અને સલામ છે, એ મજાના માણસને!!
ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના કરીએ.
Rajendra Trivedi, M.D. said,
February 14, 2008 @ 6:58 pm
આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી
ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના….
એક દુખદ સમાચાર : said,
February 16, 2008 @ 3:19 am
[...] “ મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે ?” [...]
એક દુખદ સમાચાર : said,
February 16, 2008 @ 3:19 am
[...] “ મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે ?” [...]