આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
રમેશ પારેખ

સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડનાવલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.

સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

3 Comments »

  1. પ્રત્યાયન said,

    July 19, 2005 @ 12:01 PM

    Nice poem

    કવિનું પોતાનું દર્દ. કવિ તરીકે લોકોને ગમે તેવું ન લખી શકવાનો વસવસો.

    જો બને તો કવિનો ‘જટાયુ’કાવ્ય ગુચ્છ રજુ કરશો.

  2. Vijay Shah said,

    December 15, 2006 @ 9:50 AM

    સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
    ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
    હું મરજીવો નથી
    હું કવિ છું.
    જે છે તે કેવળ મારી આંખોમાં.

    વાહ! શું સુંદર વાત્!

  3. Neela Kadakia said,

    March 21, 2007 @ 12:42 AM

    સુંદર શબ્દજાળ છે.
    પછી કવિ છું કહીને કવિએ પોતાની બાજુ મજબૂત કરી લીધી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment