સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

बझम-ए-उर्दू : 07 : कू-ब-कू फैल गई बात शनासाई की – परवीन शाकिर

कू-ब-कू फैल गई बात शनासाई की
उस ने ख़ुशबू की तरह मेरी पज़ीराई की

कैसे कह दूँ कि मुझे छोड़ दिया है उस ने
बात तो सच है मगर बात है रुस्वाई की

वो कहीं भी गया लौटा तो मिरे पास आया
बस यही बात है अच्छी मिरे हरजाई की

उस ने जलती हुई पेशानी पे जब हाथ रखा
रूह तक आ गई तासीर मसीहाई की

तेरा पहलू तेरे दिल की तरह आबाद रहे
तुझ पे गुज़रे न क़यामत शब-ए-तन्हाई की

अब भी बरसात की रातों में बदन टूटता है
जाग उठती हैं अजब ख़्वाहिशें अंगड़ाई की

– परवीन शाकिर

(कू-ब-कू – ચોતરફ; शनासाई – ઓળખાણ, મુલાકાત; पज़ीराई – સ્વીકાર; रुस्वाई – બદનામી;शब-ए-तन्हाई – ઘોર એકલતા; पेशानी – કપાળ, the forehead, तासीर – અસર, ખાસિયત; मसीहाई – સંજીવની શક્તિ; पहलू = પડખું; शब-ए-तन्हाई = એકલતાની રાત)

Parveen Shakir’s recitation:

Raj Kumar Rizvi

MEHDI HASSAN

મુલાકાતથી શરૂ થઈને વિરહ તરફ લઈ જતી આ ગઝલ વાચકને પણ ઘોર એકલતાનો ‘સ્પર્શ’ કરાવી જાય છે. પ્રિયજનનું ફરીફરીને ફરી પોતાની પાસે જ આવવાનાં હરખનું ખોખલું આશ્વાસન.. તો પોતે ત્યજાવાનું દર્દ સહન કરીને પણ એ માટે પ્રિયજનને બદનામ ન કરવાની જીદ… પોતાને મળેલી ઘોર એકલતા એને ન મળે એવી પ્રાર્થના…. છતાં અધૂરી ઈચ્છાઓની અંગડાઈ. પરવિનની ઘણી વૈવિધ્ય અને વિશિષ્ટતાથી ભરપૂર ગઝલોમાંની એક ગઝલ.

પાકિસ્તાનની બહુ મોટા ગજાની કવયિત્રી એટલે પરવીન શાકીર (1952-1994). શબ્દથી અતિ મુલાયમ પણ મિજાજથી અતિ મજબૂત પરવીન શાકિરે માત્ર ૨૪ વરસની ઉંમરે ગઝલપ્રેમીઓને એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ખુશબૂ’ આપ્યો હતો. ત્યારબાદ ‘સદબર્ગ’, ‘ખુદ ગુલામી’, ‘માહ-એ-તમામ’ જેવા અન્ય સંગ્રહો પણ આપ્યા હતા. સર્જંનક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શાકિર પોતાના રૂઢિચુસ્ત વાતાવરણથી સાવ અળગા અને ઘણા આગળ હતા. એમણે અંગ્રેજી સાથે એમ.એ., પીએચ.ડી. કર્યા બાદ નવ વર્ષ અધ્યાપન કરીને પછી કસ્ટમ વિભાગમાં જોડાયેલા. પરવિને ગઝલ-નઝમને અપનાવીને સ્ત્રી-સર્જક તરીકે પોતાના યુગનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પરવીન શાકીર પાકિસ્તાન સરકારનાં સિવિલ સર્વન્ટ હતાં, જેનું ઇસ્લામાબાદ જતાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે અસત્યના ફરિસ્તાઓએ પરવીનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. કદાચ એટલે જ એમણે એવું લખ્યું હશે કે ‘હું સત્ય બોલીશ છતાંય હું હારી જઈશ એ ખોટું બોલશે તો પણ અસત્યને લાજવાબ કરી દેશે.’

પરવીન કવિતા લખતી ન્હોતી, કવિતા જીવતી હતી. પરવીન એવી કેટલાક સ્ત્રીસર્જકોમાંની એક છે કે જેમણે શબ્દને સાધન બનાવીને પોતાના અસ્તિત્વનો અધિકાર માંગ્યો છે. લાગણી વ્યક્ત કરવી એ સ્ત્રી માત્ર માટે સહજ બાબત છે જે એમના સર્જનમાં પણ ખૂબ જ સ્વાભાવિકતાથી ભારોભાર રેલાય છે. આ લાગણી એટલે ફક્ત પ્રેમ કે પીડા નહીં, પરંતુ ક્રોધ, નિરાશા, વિરહ, વિદ્રોહ કે વિક્ષિપ્ત મનોદશા. સ્વાભાવિકપણે જ સ્ત્રીસંવેદના એ એમની કવિતાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. આ કહેવાતી વિદ્રોહી કવયિત્રી ધર્મની સંકુચિત માન્યતામાંથી પોતાને અળગી રાખીને ગોપીભાવે લખે છે- “યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા, યું સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.”

3 Comments »

  1. તીર્થેશ said,

    December 10, 2014 @ 9:29 AM

    Vaah !!

  2. વિવેક said,

    December 11, 2014 @ 8:38 AM

    પરવીન શાકિર એ સ્ત્રી સંવેદનાનું એવરેસ્ટ શિખર છે… સર્વોત્તમ… સર્વશ્રેષ્ઠ…

  3. Angel Dholakia said,

    December 18, 2014 @ 1:58 AM

    ખુબ સરસ Post! વર્ણન ખુબ સુન્દર ! I was missing Suresh Dalal… એમનિ યાદ આવિ ગઇ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment