હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
વિવેક મનહર ટેલર

बझम-ए-उर्दू : 06 : मिर्ज़ा ग़ालिब

सब कहाँ, कुछ लाल:ओ-गुल मे नुमायाँ हों गयीं
खाक में क्या सूरतें होंगी, कि पिन्हाँ हो गयीं।

માત્ર મુઠ્ઠીભર સુંદરતા પુષ્પો-ગુલાબના સ્વરૂપે માટીની બહાર ડોકિયું કરીને વસુંધરામાં સમાવિષ્ટ અદભૂત સુંદરતાની એક માત્ર આછેરી ઝાંખી આપે છે. આ ઝાંખી જ જો આટલી અદભૂત છે તો માટીમાં કેટકેટલી સુંદરતા ધરબાયેલી પડી હશે !!

याद थी, हम को भी, रंगारंग बज़्म-आराइयाँ,
लेकिन अब नक्शो-निगारे-ताके-निसियाँ हो गयीं।

કોઈ એ પણ સમય હતો કે જયારે અમને પણ રંગીન મેહફિલો અને સુંદરીઓના સહવાસની આદત હતી, પરંતુ હવે એ બધી શોભા કરોળિયાના જાળાનું સ્વરૂપ લઇ ચૂકી છે [ આ ભાવાર્થ છે,શબ્દાર્થ નથી]

थीं बनातुलनांश-ए-गरदूँ, दिन को परदे में निहाँ
शब को उनके जी में क्या, आयी , कि उरियाँ हों गयीं।

સાત સહેલીઓ [ સપ્તર્ષિ ] ની લુચ્ચાઈ તો જુઓ ! આખો દિવસ પરદા પાછળ છૂપી રહે છે અને રાત્રે નગ્ન થઈ જાય છે ! [ અહી ઈશારો જાહેરમાં-દિવસના અજવાળે- અલગ અને રાત્રિના અંધકારમાં અલગ જીવન જીવનાર વ્યક્તિઓ તરફ છે]

कैद मे याकूब ने ली, गो, न यूसुफ़ की खबर,
लेकिन आँखे रौजन-ए-दीवार-ए-ज़िन्दाँ हो गयीं।

યાકૂબ પોતાના પુત્ર યુસુફને એ રીતે ચાહતા જે રીતે દશરથ રામને. પુત્રવિરહમાં તેઓ અંધ થઇ ગયા હતા. આ સંદર્ભમાં આ શેર છે – અંતર અને દુર્બળતાવશ યાકૂબ પોતાના પ્રાણપ્યારા પુત્રને જોવા કેદ્ખાનાની કાળકોઠરી સુધી ન પહોચી શક્યા, પરંતુ રડતા રડતા અંધ બનેલા નેત્રો એ કાળકોઠરીના ઝરોખા બનીને અપ્રત્યક્ષરૂપે યુસુફને નિહાળતા રહ્યાં .

सब रक़ीबों से हों नाखुश, पर ज़नान-ए-मिस्र से,
है ज़ुलैख़ा खुश, कि मह्व-ए-माह-ए-कनआँ हो गयीं।

મિસ્રની એક વસાહતનું નામ તે કનઆ. ત્યાં યુસુફ રહેતો . તે એટલો સુંદર હતો કે સમગ્ર મિસ્રની યુવતીઓ એના પર મુગ્ધ હતી. મિસ્રની રાજકુમારી ઝુલેખા પણ ! આ સંદર્ભમાં ગાલિબ ફરમાવે છે – સામાન્ય રીતે સ્ત્રીઓ સોતનથી પરેશાન ,પરંતુ કનઆ ના ચંદ્ર [યુસુફ]ની ચકોરીઓથી ઝુલેખા જરાય નારાજ નથી,બલકે પ્રસન્ન છે. [ અહીં શુદ્ધ પ્રેમ અને શુદ્ધ સૌન્દર્યની અદભૂતતાની વાત કહેવાઈ છે ]

जू-ए-खूं आँखों से बहने दो, कि है शामे-फ़िराक,
मैं यह समज़ूंगा, कि शमएँ दो फ़रोज़ाँ हो गयीं।

વિયોગની સંધ્યા સુદ્ધાં એટલી કાળીડિબાંગ છે તો રાત કેવી હશે ! આથી આ આંખોમાંથી લોહીરૂપી કિરણોને વછૂટવા દો…..હું એમ સમજીશ કે બે મીણબત્તીઓ પ્રગટી ઉઠી છે….. [ શું અંદાઝે બયાં છે ! ]

इन परिजादों से लेंगे खुल्द में हम इन्तक़ाम,
कुदरत-ए-हक- से, यही हूरें अगर वाँ हों गयीं।

અહીં વક્રોક્તિ જુઓ – આ લોકની સુંદરીઓ જો પોતાના કર્મબળે સ્વર્ગની પરીઓ બની તો અમે ત્યાં-સ્વર્ગમાં- એ લોકો સાથે બધી કસર પૂરી કરીશું….ખૂબ બદલો લઈશું [ અમારું સ્વર્ગમાં જવું તો નક્કી જ છે…આ સાલ્લીઓ જે અમને અહીં ભાવ નથી આપતી તેઓની ત્યાં વાત છે !!!!! ]

नींद उसकी है, दिमाग उसका है, रातें उसकी है,
तेरी ज़ुल्फ़ें, जिसकी बाज़ू पर परीशाँ हो गयीं।

સૌન્દર્યરસ નો શેર છે આ…. परीशाँ = વિખેરાઈ જવી

मैं चमनमें क्या गया,गोया दबिस्ताँ खुल गया,
बुलबुलें सुनकर मेरे नाले, ग़ज़ल-ख्वाँ हो गयीं।

મેં બગીચામાં પગ શું મૂક્યો કે જાણે ત્યાં પાઠશાળા ખૂલી ગઈ !!! મારા આર્તનાદ સાંભળીને બધી બુલબુલો ગઝલગાયિકા બની ગઈ !!! [ અતિશયોક્તિ અલંકાર ]

वह निगाहें क्यों हुई जाती है,या रब ! दिल के पार,
जो मेरी कोताहि-ए-किस्मत से मिज़गाँ हो गयीं।

આ મારું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય !! જે નજરો મારી સામે લજ્જાથી નીચી થઇ ગઈ છે એમ હું માનું છું તેનો પ્રભાવ પણ સ્નેહભર્યાં તારામૈત્રકથી લગીરે કમ નથી !!!

बस कि रोका मैंने और सीने में उभरी पै-ब-पै !
मेरी आहें बखिय:-ए-चाके-गरेबाँ हो गयीं।

મારાં આર્તનાદોને મેં જેટલા છાતીમાં ધરબી દેવાની કોશિશ કરી તેટલા જ તે છાતી ઉપર વારંવાર ઉભરી આવ્યા ! જાણે કે મારા વીંધાઈ વીંધીને ચાળણી થઇ ગયેલી છાતી માટે તે સિલાઈના ટાંકા સમાન બની ગઈ !!

वाँ गया भी मैं, तो उनकी गालियों का क्या जवाब,
याद थी जितनी दुआऐं, सर्फ़-ए-दरबाँ हो गयीं।

પ્રિયાને મળવા ગયો દિલમાં દુઆઓ લઈને . ત્યાં દરવાનને બક્ષીસમાં જ એ બધી દુઆ આપી દેવી પડી….પછી અંદર પ્રવેશ મળ્યો . અંદર મારી બધી જ દુઆઓ ખલાસ થઇ ગઈ હતી અને મને ત્યાં જે ગાળ ઉપર ગાળ પડી છે કે વાત ન પૂછો ! [ વ્યંગાત્મક શૈલીના આ શેરમાં એક જુદા જ ગાલિબ દ્રષ્ટિગોચર થાય છે.]

जाँ-फिज़ा है बाद:, जिसके हाथ में जाम आ गया,
सब लकीरें हाथ की, गोया रगे-जाँ हो गयीं।

શરાબ એટલી અદભૂત ચીજ છે કે શરાબનો પ્યાલો જે હાથમાં પકડવામાં આવે છે તે હાથની લોહીની નસો હૃદયની મુખ્ય ધમની સમાન થઇ જાય છે. [ અહીં પણ રૂપકની બુલંદી જુઓ ! ]

हम मुव्वहिद हैं, हमारा केश है, तर्क-ए-रसूम
मिल्लतें जब मिट गई, अजज़ा-ए-ईमाँ हों गयीं।

હું એકેશ્વરવાદી છું. મારો ધર્મ છે વિવિધ પંથો-સમ્પ્રદાયોને સમાપ્ત કરવા. જેવા તે સમાપ્ત થશે તેવા જ તે સૌ સાચા ધર્મના અંશ બની જશે. [ એક મત અનુસાર આ શેર આ ગઝલનો નથી. ]

रंज से ख़ूगर हुआ इन्साँ तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ी, इतनी कि आसाँ हों गयीं।

શિરમોર – અદભૂત- જબરદસ્ત શેર !!! આ વાત આપણે સૌએ અનુભવી જ હશે – વ્યક્તિ દુઃખોથી અભ્યસ્ત થઇ જાય એટલા દુઃખ જયારે એના પર પડે ત્યારે દુઃખ એની ચોટ-ધાર-અસરકારકતા ગુમાવી બેસે છે. મારા પર એટલી બધી વિપદાઓ પડી કે હવે એ સૌ આસન થઇ ગઈ છે.

આ એક Psychological fact છે. આ વાત અન્ય સંદર્ભોમાં પણ સાચી હોય છે. અમે જયારે MBBS માં હતા ત્યારે exam ના બે-ચાર દિ પહેલા અચૂક આ શેર યાદ કરતા !!!!

यों ही गर रोता रहा ‘ग़ालिब’, तो ऐ अह्ल-ए-जहाँ !
देखना इन बस्तियों को तुम, कि वीराँ हों गयीं।

જો ગાલિબ આ જ રીતે રડતો રહ્યો અને આંસુઓનો ધોધ વહાવતો રહ્યો તો જોતા રહેજો…..આ ઘોડાપૂર બધું જ વેરાન કરી દેશે…..

– मिर्ज़ा ग़ालिब

આ ગઝલનો પ્રત્યેક શેર મોટાભાગના ગુજરાતી વાચકોને clean bowled કરવા માટે પૂરતો છે ! આ ગઝલ પસંદ કરવાનું કારણ એ કે આમાં ગાલિબની સર્જકતાના અનેક પાસાઓ સુપેરે ઉજાગર થાય છે. સંપૂર્ણ ગાલિબની આછેરી ઝાંખી મળી રહે છે.

5 Comments »

  1. પુષ્પકાન્ત તલાટી said,

    December 10, 2014 @ 4:58 AM

    તિર્થેષભાઇ;

    रंज से ख़ूगर हुआ इन्साँ तो मिट जाता है रंज – मुश्किलें मुझ पर पड़ी, इतनी कि आसाँ हों गयीं।
    તમે જયારે MBBS માં હતા ત્યારે exam ના બે-ચાર દિ પહેલા અચૂક આ શેર યાદ કરતા !!!! – તો હવે આ જોક્સ વાઁચો :-
    એક દર્દીને ડોક્ટર કહે છે ” તમને બહુજ દુખાવો થાય છે ને તો લો આ ગોળીઓ અને દવા આપુછુ તો એક અઠવાડિયા સુધી રોજ ત્રણ વખત લેજો એટલે મટી જશે અથવા દર્દ નહિ રહે. ”
    દર્દી કહે ” કેમ એમ !! ”
    ડોક્ટર કહે ” મટી જશે અથવા તમે તેનાથી ટેવાયજશો એટલે કે આદી થૈ જાશો એટલે દુખ નહી થાય. ”
    હા હા હા — પુષ્પકાન્ત તલાટી

  2. SHAIKH Fahmida said,

    December 10, 2014 @ 7:09 AM

    Excellent. I like his two shers also.
    Die nadan tujhe hua kya hai
    Aakhir is dard ki dava kya hai.

    Hai aur bhi duniya me sukhanvar(shayar) achhe
    Kahte he ke ‘Galib’ ka andaje-baya aur.

  3. ધવલ said,

    December 10, 2014 @ 7:44 AM

    रंज से ख़ूगर हुआ इन्साँ तो मिट जाता है रंज
    मुश्किलें मुझ पर पड़ी, इतनी कि आसाँ हों गयीं।

    – સલામ !

  4. વિવેક said,

    December 11, 2014 @ 8:37 AM

    એમ કહું તો જરાય ખોટું નથી કે આ દીર્ઘ ગઝલ આજે પહેલીવાર આટલી સારી રીતે સમજી શક્યો….

  5. nehal said,

    December 12, 2014 @ 4:48 AM

    जू-ए-खूं आँखों से बहने दो, कि है शामे-फ़िराक,
    मैं यह समज़ूंगा, कि शमएँ दो फ़रोज़ाँ हो गयीं।

    बस कि रोका मैंने और सीने में उभरी पै-ब-पै !
    मेरी आहें बखिय:-ए-चाके-गरेबाँ हो गयीं।

    Aafareen……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment