ઉદાસી આ સૂરજની આંખે ચઢી છ,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
ભગવતીકુમાર શર્મા

લીલાવિશ્વ – માધવ રામાનુજ

સરજન કેવું કર્યું !….
અહીંથી અનંત સુધી કણકણમાં-
લીલાવિશ્વ ભર્યું….

બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં રેલાવ્યું અજવાળું,
અજવાળાની આરપાર પ્રસર્યું અંકાશ રૂપાળું-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી અવતર્યું !
સરજન કેવું કર્યું !

એક એક આ પિંડે મૂકી એ જ બ્રહ્મની છાયા,
મનમાં મૂક્યું એ જ અકળ વિસ્મય ને એની માયા-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી ઉતર્યું !
સરજન કેવું કર્યું !

અહીંથી અનંત સુધી કણકણમાં
લીલાવિશ્વ ભર્યું !

– માધવ રામાનુજ

આ કવિની પ્રત્યેક રચનામાં એક માધુર્યસભર સૂફીનાદ હોય છે…….

2 Comments »

  1. kiran said,

    June 9, 2014 @ 3:52 AM

    સરસ્

  2. Maheshchandra Naik (Canada) said,

    June 9, 2014 @ 4:59 PM

    સુફીવાદનો સરસ સન્દેશ લઈ આવતી રચના…………………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment