મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
– રઘુવીર ચૌધરી

તૃષ્ણા – કાલિદાસ (ભાવાનુવાદ : ડૉ. નીના ભાવનગરી)

समदिवसनिशीथं सगिनस्तत्र शंभोः
शतमगमदृतूनां साग्रमेका निशेव ।
न तु सुरतसुखेभ्यश्र्छिन्नतृष्णो बभूव
ज्वलन इव समुद्रान्तर्गतस्तज्जलेषु ॥
– कालिदास
(कुमारसंभवम् – सर्ग ८)

(પાર્વતીસંગે રમણ કરતા શંકરની સો ઋતુઓ દિવસ-રાતનો ભેદ કર્યા વિના એક રાત્રિની જેમ વીતી ગઈ; તેમ છતાં સમુદ્રને તળિયે રહેલો વડવાગ્નિ એનાં જળ પીને પણ ધરાતો નથી તેમ શંકરની સુરતક્રીડાના સુખની તૃષ્ણા અચ્છિન્ન રહી)
– ભાવાનુવાદ : ડૉ. નીના ભાવનગરી

ગઈકાલે જ મહાશિવરાત્રિ ગઈ… એ નિમિત્તે મહાકવિ કાલિદાસની કલમે શિવજીના એક અલગ જ રૂપના દર્શન કરીએ. પાર્વતી સાથે કામાસક્ત શંકર માટે સો વરસનો પ્રદીઘ ગાળો પણ જાણે એક જ રાત હોય એમ પસાર થઈ જાય છે… સ્નેહાસિક્ત સંબંધમાં રાત-દિવસનો ભેદ પણ ઓગળી ગયો છે અને તોય જે રીતે સમુદ્રના પેટાળમાં અનવરત ભભૂકતો અગ્નિ પણ અમાપ જળની ભીતર હોવા છતાં ઓલવાતો નથી એમ શંકરની કામક્રીડાસુખની એષણા-તરસ પણ છીપી છિપાતી નથી.

2 Comments »

  1. Bhumi said,

    February 28, 2014 @ 4:14 AM

    Lovely <3

  2. Harshad said,

    March 2, 2014 @ 12:12 PM

    સુન્દર .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment