હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.
વિવેક મનહર ટેલર

મૃત્યુને – પન્ના નાયક

તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
આખી નૌકામાં
દરિયો છલકાવી
એને ડૂબાડી દઈશ
સાગરના પેટાળમાં
પણ
કવિતાની પંક્તિઓમાં
મહોરેલી મારી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…

-પન્ના નાયક

ગયા રવિવારે પન્ના નાયકની જ મૃત્યુ-વિષયક કવિતા માણી. આજે ફરીથી એમની જ અને એ જ વિષય પરની એક બીજી કવિતા જોઈએ. ચૌદ પંક્તિના આ મજાના કાવ્યને અછાંદસ સૉનેટ ન ગણી શકાય? કવિતાના અંતભાગમાં જે ચોટ આવે છે એ ખુદ મૃત્યુને વિચારતું કરી દે એવી છે… મરણ ખુદ વિચારે કે આ શરીરને મારીને શું મળશે? અંદરનો કવિ તો ક્યારનો અ-ક્ષર થઈ ગયો ! શબ્દનો મહિમા ક્યારેક આ રીતે પણ ગાઈ શકાતો હોય છે…

4 Comments »

  1. shaileshpandya BHINASH said,

    March 1, 2008 @ 4:47 AM

    good………

  2. Pinki said,

    March 1, 2008 @ 9:44 AM

    પન્નાજીએ શબ્દદેહે અમરત્વ મેળવી લીધું……!!

  3. pragnaju said,

    March 1, 2008 @ 2:16 PM

    સરસ અછાંદસ
    કવિતાની પંક્તિઓમાં
    મહોરેલી મારી વસંતને
    ક્યારેય ફેરવી નહીં શકે
    પાનખરમાં…
    વાહ્

  4. ધવલ said,

    March 1, 2008 @ 3:52 PM

    સરસ વાત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment