સ્વપ્નનાં પાણી ભરાયાં વ્હાણમાં,
તું હવે આ છેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અરવિંદ મહર્ષિ

અરવિંદ મહર્ષિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રતિમાની દેવી – શ્રી અરવિંદ (અનુ. સુન્દરમ્)

ત્યહીં નગર દેવને, લઘુક મંદિરે રાજતી
શિલાની પ્રતિમા થકી પ્રભુ રહ્યા લહી હું પ્રતિ:
રહ્યું વિલસી દિવ્ય મૃત્યુ-પર એક સાંનિધ્ય ત્યાં, –
સ્વરૂપ નિજમાં ધરંતું સઘળાં ય આનંત્યને.

વિરાટ જગદંબિકા – પ્રખર એની ઇચ્છા તથા
ધરાની અતલાંત નીંદ મહીં આવી વાસો વાસી,
અશબ્દ, પરમા સમર્થ, અવિગમ્ય, મૂક સ્થિતા
ત્યહીં રણ વિષે અને ગગનમાં તથા સાગરે.

હવાં મનસ-આવૃતા વસતી તે, ન બોલ કશું,
અશબ્દ, અવિગમ્ય, સર્વંવિદ, ગુમ એ તો વસે;
યદા નિરખશે જ આત્મ અમ સૂણશે-શી વિધે
ગ્રહંતી તન એ, પૂજારી પ્રતિમા વિષે એક જે,

શકે પથર કે શરીર ધરી જેનું સૌંદર્ય, હા,
રહસ્ય પણ જેહનું – પ્રગટ એ થશે ત્યાહરે.

– શ્રી અરવિંદ
(અનુ. સુન્દરમ્)

*
મહર્ષિ અરવિંદ પથ્થરની પ્રતિમાને સામે રાખીને સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. નાશવંત પથ્થરોમાં કેદ ઈશ્વર હકીકતે આપણી પ્રતિક્ષામાં જ છે, આપણને આવકારવા સર્વદા તત્પર જ છે. આપણે જ્યાં સુધી નિદ્રાવશ છીએ ત્યાં સુધી જ એ ચૂપ છે. આપણે આપણો માનસપટ ફગાવીને પરમકૃપાળુનો સાદ સાંભળીએ એ ઘડી આપણી જાગૃતિની ઘડી છે. મૂર્તિ અને જડ આકાર એ પ્રભુ સુધી લઈ જતા માર્ગ માત્ર છે. પથ્થરની પ્રતિમા આપણે વિચારી શકીએ એના કરતાં વધુ સજીવ, વધુ સામર્થ્યશાળી છે.

*

The Stone Goddess

In a town of gods, housed in a little shrine,
From sculptured limbs the Godhead looked at me,–
A living Presence deathless and divine,
A Form that harboured all infinity.

The great World-Mother and her mighty will
Inhabited the earth’s abysmal sleep,
Voiceless, omnipotent, inscrutable,
Mute in the desert and the sky and deep.

Now veiled with mind she dwells and speaks no word,
Voiceless, inscrutable, omniscient,
Hiding until our soul has seen, has heard
The secret of her strange embodiment,

One in the worshipper and the immobile shape,
A beauty and mystery flesh or stone can drape.

– Sri Aurobindo

Comments (2)

દૈવી કીમિયાગર – શ્રી અરવિંદ – અનુ-હરીન્દ્ર દવે

આ જગતની ઘટનાઓનો પ્રશાંત આત્માથી સામનો કરું છું;
એ સૌમાં સંભળાય છે તારા પદધ્વનિ : તારાં અદ્રશ્ય ચરણો
મારી સન્મુખ ગતિ કરે છે નિયતિના માર્ગો પર . જીવનનું આખું
પ્રચંડ પ્રમેય એ તું સંપૂર્ણ.

મારા મનની નીરવતામાં કોઈ જોખમ વિક્ષેપ નહિ કરી શકે;
મારાં કાર્યો તારાં છે; હું તારાં કાર્યો કરું છું,પસાર થઈ જાઉં છું;
નિષ્ફળતા તારા અમર્ત્ય બાહુ પર આશ્રય લે છે
વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ.

માનવ-પ્રારબ્ધ સાથેના આ કઠોર સંઘર્ષમાં
મારા અંતરમાંનું તારું સ્મિત સર્જે છે મારી સઘળી શક્તિ;
સમય-સર્પની મંદ સરકતી ગતિની ખેવના વિના
તારી મારામાંની શક્તિ રચે છે એનું ભગીરથ આલય.

કોઈ તાકાત મારા આત્માને હણી ન શકે: એ તારામાં જીવે છે.
તારું અસ્તિત્વ એ મારી અમરતા.

-શ્રી અરવિંદ – અનુ.-હરીન્દ્ર દવે

વીસમી સદી અત્યંત સદભાગી હતી કે જેણે આ ઋષિધ્વનિ સાંભળ્યો….. પ્રત્યેક પંક્તિ ઉપનિષદની યાદ અપાવે છે …. ‘વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ….’ – અદભૂત !! મહર્ષિ અરવિંદને વાંચવા માટે પૂરતો સમય કાઢવો પડે અને એક ઉત્તમ કક્ષાની dictionary સાથે રાખવી પડે . તેઓ ગ્રીક અને લેટિન ભાષાના પ્રખર વિદ્વાન હતા કે જે ભાષાના જાણકારો વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય ! વળી સંસ્કૃત અને અંગ્રેજીના professor, એટલે ભાષાઓ તો તેઓની પ્રેમિકાઓ હતી …. ઘણીવાર તો તેઓનું એક વાક્ય એક-એક પાના જેટલું લાંબુ હોય ! પરંતુ ધીરજપૂર્વક વાંચતા એક અનેરું-અનન્ય ઊંડાણ માણવા મળે… તેઓએ મહાત્મા ગાંધી અને અહિંસાના ગાંધીજીના ખ્યાલ ઉપર લખેલો લેખ એક ઉત્તમ constructive criticism નો નમૂનો છે.

Comments (4)

The Pilgrim of the Night – Arvind (રાત્રિનો યાત્રી – અનુ. સુન્દરમ્)

I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.

– Maharshi Arvind

રાત્રિનો યાત્રી

નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.

પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.

હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.

છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.

– અનુ. સુન્દરમ્

રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…

Comments (6)