ચોઘડિયાંઓ જોતો રહેશે, માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે, દુઃખનો ડુંગર મોટો રહેશે.
ઉર્વિ પંચાલ 'ઉરુ'

સંકેલો હવે – મુકેશ જોષી

શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે
આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે

ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે
આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે

આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા
એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે

સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો
આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે

એક પળ ઊભા રહે, ના એમ પણ ઇચ્છો તમે
આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે

– મુકેશ જોષી

1 Comment »

  1. pragnajuvyas said,

    June 15, 2022 @ 11:42 PM

    કવિ શ્રી મુકેશ જોષીની ખૂબ સરસ ગઝલ બદલ ધન્યવાદ ડૉ તીર્થેશજી
    એક પળ ઊભા રહે, ના એમ પણ ઇચ્છો તમે
    આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે
    મક્તા ખૂબ ગમ્યો .ઈચ્છાની વાત સાથે અહીં ઇચ્છામૃત્યુ યાદ આવે. જ્યારે કોઈ માણસ કોઈ રોગથી અસહ્ય પીડાથી બેવડ વળતો હોય, અતિ ત્રસ્ત હોય ત્યારે એ પીડાથી છૂટવા હોઝપીસ સારવાર આપી તેની મૃત્યુની ઇચ્છા આનંદપૂર્વક પુરી કરવામા આવે છે
    સાથે યાદ આવે કવયિત્રી પ્રજ્ઞા વશીની રચના
    દુશ્મનીના હાથ સંકેલો હવે,
    ખંજરોના નાચ સંકેલો હવે.
    આપણું આ ઘર પછી ઘર ના રહે,
    સુપ્ત રાવણજાત સંકેલો હવે.
    ક્યાં મળે પગરવ પછી ઇન્સાનના,
    થોડી વાનરજાત સંકેલો હવે.
    કૈંક અફવા, ગીધ થૈ ઘટના ચૂંથે,
    ઘાત–પ્રત્યાઘાત સંકેલો હવે.
    આહ, નિ:શ્વાસો નથી મંજૂર તો,
    નફરતી સોગાત સંકેલો હવે.
    છે ક્ષણિક, મોંઘામૂલી આ જિંદગી,
    ‘હું’પણાનો નાદ સંકેલો હવે.
    અને કવિશ્રી અરવિંદ બારોટની રચના
    વીતી ગઈ છે રાતઃ પથારી સંકેલો !
    પોકારે પર ભાતઃ પથારી સંકેલો !
    અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,
    રુંવે રુંવેરણઝણતુંકો’ બીન બજાવેેત
    આ જ ઘડી રળિયાતઃ પથારી સંકેલો !
    મોંસૂઝણાની વેળા થઈ છેઃ નેણાં ખોલો !
    અજવાળાંનાં પગલાં થાશેઃ ખડકી ખોલો !
    પરદા ખૂલશે સાતઃ પથારી સંકેલો !
    બચકાં બાંધોઃ જાવું છે છેટાની વાટે,
    વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટેત
    ભેળી લેજો જાતઃ પથારી સંકેલો ! અને
    અમારા ઉષાબેનશ્રીના ગીત
    મોસમ આવી છે સવા લાખની,
    હવે છત્રી સંકેલ તારા કામની પર અમારા ડો.વિવેકજી આસ્વાદમા કહે-‘ગીતનું મુખડું વાંચતાં જ ‘તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાય રે’ કહી મનોજકુમારને લોભાવતી ઝિન્નત અમાન નજર સામે આવી જાય.આ મુખડું પણ કંઈક એવી જ વાત કરતું હોવા છતાં એટલું બળકટ બન્યું છે કે સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય.’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment