રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
અનિલ જોશી

हम कि ठहरे अजनबी – ફૈઝ અહમદ ફૈઝ

हम कि ठहरे अजनबी इतनी मुदारातों के बा’द
फिर बनेंगे आश्ना कितनी मुलाक़ातों के बा’द

આટલી બધી ખાતિરદારી કરવા છતાં એક અમે જ અજનબી રહી ગયા. કોણ જાણે કેટલી મુલાકાતો પછી ફરી મિત્ર બનીશું… [ આ શેર 1974માં ઢાકાની મુલાકાત બાદ વિમાનમાં કહ્યો હતો – કદાચ તે વખતની રાજકીય પરિસ્થિતિથી વ્યગ્ર થઇ ને કહ્યો હશે. ]

कब नज़र में आएगी बे-दाग़ सब्ज़े की बहार
ख़ून के धब्बे धुलेंगे कितनी बरसातों के बा’द

કોણ જાણે ક્યારે બે-દાગ હરિયાળી નજરે ચડશે….. લોહીના ધબ્બાઓ કેટલા બધા ચોમાસે ધોવશે…..[ આ પણ બાંગ્લાદેશના રક્તપાત સંબંધે લાગે છે ]

थे बहुत बेदर्द लम्हे ख़त्म-ए-दर्द-ए-इश्क़ के
थीं बहुत बे-मेहर सुब्हें मेहरबाँ रातों के बा’द

પ્રેમના અંતકાળની દારુણ વેદનાની પળો અત્યંત દર્દનાક હતી…મહેરબાન રાતોની સવાર ખૂબ જ નિર્મમ હતી… પ્રેમની પૂર્વશરત જ એ છે – વીંધાવા માટે તૈયાર હોવું…. જિબ્રાન એ જ કહે છે – ” પ્રેમનો વાઈન માદક જેટલો છે તેટલો જ દાહક છે ”

दिल तो चाहा पर शिकस्त-ए-दिल ने मोहलत ही न दी
कुछ गिले शिकवे भी कर लेते मुनाजातों के बा’द

દિલ તો બહુ હતું પણ દિલના ઘોર પરાજયે અવકાશ જ ન આપ્યો, બાકી બંદગી બાદ અલ્લાહ સાથે થોડી રાવ-ફરિયાદ પણ કરી લેતે… – આ મારો પ્રિય શેર છે. ઘણીવાર મન એવું ઉઠી જાય કે હજાર હાથવાળા પાસે કંઈ કહેવા-માંગવા હાથ ઊંચકાતો જ નથી. ડૉ મુકુલ ચોક્સી યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા….”

उन से जो कहने गए थे ‘फ़ैज़’ जाँ सदक़े किए
अन-कही ही रह गई वो बात सब बातों के बा’द

નજરાણામાં ઉતારેલું મસ્તક લઈ એમની સાથે જે વાત કરવા ગયા હતા, ત્યાં આડી-તેડી વાતો બાદ મૂળ વાત તો અનકહી જ રહી ગઈ…. કદાચ સંકોચ કારણભૂત હશે, કદાચ ઠંડા આવકારથી એટલો તીવ્ર અભાવ થઈ આવ્યો હશે કે મન જ ન થયું એ વાત કરવાનું, કદાચ તેઓ જાતે જ જો ન સમજે તો ફોડ પાડીને કહેવું વ્યર્થ લાગ્યું હશે……- જે પણ કારણ હોય, જીભ ઉપડી નહીં…મનની વાત મનમાં રહીને નાસૂર બનશે હવે….

–  ફૈઝ અહમદ ફૈઝ

 

નૈયારા નૂર 👇🏻

 

6 Comments »

  1. pragnajuvyas said,

    December 14, 2021 @ 2:50 PM

    .
    बहुत खूब
    फैज़ की कविताओं से मुझे कितना प्यार है, इसके बावजूद, इस कविता की-
    उन से जो कहने गए थे ‘फ़ैज़’ जाँ सदक़े किए
    अन-कही ही रह गई वो बात सब बातों के बा’द
    – उनके कार्यों और विकल्पों को देखते हुए, मेरे लिए बिल्कुल पाखंडी लगती है।

  2. pragnajuvyas said,

    December 14, 2021 @ 3:10 PM

    भाषा मुद्दों के बावजूद, फैज 1971 संघर्ष से पहले पूर्वी बंगाल में बहुत लोकप्रिय था। उनका काम बड़े पैमाने पर अनुवाद किया गया था और वह ईस्ट बंगाल के लिए कई बार यात्रा की मुशायरों में भाग लेने के। हालाँकि, 1974 में जब उन्होंने भुट्टो के साथ पहली और आखिरी बार स्वतंत्र बांग्लादेश का दौरा किया, तो उन्हें पूरी तरह से ठंडे बस्ते में डाल दिया गया। बंगाली बुद्धिजीवियों की हत्याओं का विरोध करने में उनकी विफलता के कारण उनके साहित्यिक मित्रों ने उनसे मिलने से इनकार कर दिया। अधिकांश टिप्पणीकारों का कहना है कि फ़ैज़ को इस यात्रा के दौरान मुनीर चौधरी और शाहिदुल्ला कैसर की हत्याओं के बारे में बताया गया था।

  3. Kiran bhati said,

    December 15, 2021 @ 5:04 AM

    વાહ….વાહ…. ખૂબ જ મજા આવી

    આસ્વાદ, સ્વરાંકન ને બહુ મજાની ગઝલ.

  4. Vineschandra Chhotai said,

    December 15, 2021 @ 7:46 AM

    Great poet

    Lovely wording

    Salutations

  5. વિવેક said,

    December 15, 2021 @ 8:38 AM

    સાદ્યંત સુંદર રચના અને સહજ સરળ ઉમદા ભાવાનુવાદ…

  6. Harihar Shukla said,

    December 15, 2021 @ 11:00 PM

    સરસ ગઝલ, સરસ સંવાદ અને વળી વધુ સરસ પ્રજ્ઞબહેનની comments 👌💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment