થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં,
ચારે તરફથી એની નજરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી

ખોજ કબીરા – સુરેશ પરમાર ‘સૂર’

અંદર ખોયું ઓજ કબીરા;
બહાર શાની ખોજ કબીરા?

રોજ ઊઠી, મારાથી ભાગું;
ક્યાં પહોંચું દરરોજ કબીરા?

નાચું ત્યારે પગ ના ઊપડે;
શું જીવન પણ બોજ કબીરા?

રાજા સૂતો, રાજમહેલમાં;
સરહદ પર છે ફોજ કબીરા!

હમણાં જાગી, જાણી લે ‘સૂર’;
સાવ કારણ ‘મોજ-કબીરા’.

– સુરેશ પરમાર ‘સૂર’

કબીરા, સાધુ, સાધો જેવી રદીફ લઈને આપણે ત્યાં પુષ્કળ ગઝલોનો ફાલ ઊતર્યો છે, પણ પ્રસ્તુત રચના આ ફાલમાં સહેજે અલગ તરી આવે છે. બધા જ શેર મનનીય થયા છે…

5 Comments »

  1. Prof. K J suvagiya said,

    June 4, 2020 @ 5:13 AM

    વાહ! વિવેકભાઇ!
    ‘સુર’ જી ની અચ્છી ખોજ છે,
    રાજેન્દ્ર શુક્લ સરીખી મોજ છે!

  2. pragnajuvyas said,

    June 4, 2020 @ 11:48 AM

    માનવ માત્ર બંધનમાંથી મુક્ત થઈ શકે તેવા વિચાર કબીરે વ્યક્ત કર્યા છે. જે ચિંતન-મનન કરશે તેને જરુર મુક્તિનો માર્ગ મળશે, એવી ખાતરી સાથે કબીરે કહરાની રચના કરી . કબીર વાતને સાંકેતિક રીતે રજૂ કરવાનો એક વિશિષ્ટ તરીકો છે.તે વાત સરળ સમજાય તેવી ખોજ કબીરા ગઝલમા કવિશ્રી સુરેશ પરમાર ‘સૂર’એ લખ્યા છે
    અંદર ખોયું ઓજ કબીરા;
    બહાર શાની ખોજ કબીરા?
    અદભુત મત્લા
    આસ્વાદમા ડૉ વિવેકજીએ સ રસ જણાવ્યું’ પ્રસ્તુત રચના સહેજે અલગ તરી આવે છે. બધા જ શેર મનનીય થયા છે’…

  3. kajal kanjiya said,

    June 4, 2020 @ 10:15 PM

    સરસ

  4. હરિહર શુક્લ said,

    June 5, 2020 @ 2:02 AM

    સરસ 👌

  5. Rajendra Vadhel said,

    June 11, 2020 @ 1:57 AM

    રાજા સુતો રાજ મહેલમાં
    સરહદ પર છે ફૌજ કબીરા
    ✍👌👌👌👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment