અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
હર્ષ બ્રહ્મભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અનિલ વાળા

અનિલ વાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ક્ષણ આવે તો ? – અનિલ વાળા

તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?

રણને નહીં ઓળખવા જેવું કરીને બ્હાનું
આમતેમ કે આડું અવળું તમે જ જોતાં રહો
તમે તમોને છેતરવાને તમે તમારી
જૂઠી વારતા તમને ખુદને કહો…

દરપણમાંથી પ્રતિબિંબ ખોવાય જાય
ને જ્યાં જાવ ત્યાં પાછળ પાછળ એકાદું દરપણ આવે તો ?
તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?

‘હવે નથી બચવું’ એ નક્કી કરી
તમે તમારી અકબંધ હોડી તોડી નાખો,
દરપણ ફૂટે એ પહેલાં તો તમે તમારી
જાતને મારી પથ્થર ખુદને ફોડી નાખો !

તમે હજુ તો ફૂટી જવાની અણી ઉપર હો
અને તમોને બચાવવાને કોક અજાણ્યું જણ આવે તો ?
તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?

– અનિલ વાળા

 

સવાલ ધારદાર છે……..

Comments (4)