પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.
વિવેક ટેલર

આવ મારી પાસે – એન વિલ્કિન્સન (અનુ. અપૂર્વ કોઠારી)

આવ મારી પાસે
સ્વેચ્છાપૂર્વક નીચે પડતી
વિશાળ સાગરમાં ખોવાઈ જવા
સરિતા જેમ નહીં..
પણ આવ મારી પાસે
જેમ કિનારે આવે છે ભરતી
ખાલી અખાતને છલકાવી દેવા
શ્વેત નીરવતાથી;
ધરતી અને સાગર કામક્રીડા કરતાં.

– એન વિલ્કિન્સન
(અનુ. અપૂર્વ કોઠારી)

પ્રણયની ઉત્કટતાની બળવત્તર અભિવ્યક્તિનું કાવ્ય… પ્રેમ સમર્પણ નહીં, છલોછલ છલકાઈ જવાનું નામ છે…

10 Comments »

  1. Rina said,

    April 27, 2013 @ 3:09 AM

    Beautiful. …

  2. vijay joshi said,

    April 27, 2013 @ 8:35 AM

    સુંદર
    યાદ આવ્યું મારું હાઇકુ…..
    મોજાંના સ્પર્શે,
    છલકાયું યૌવન,
    સમુદ્રસ્નાન!

  3. pragnaju said,

    April 27, 2013 @ 9:35 AM

    સુંદર
    વિશાળ સાગરમાં ખોવાઈ જવા
    સરિતા જેમ નહીં..
    પણ આવ મારી પાસે
    જેમ કિનારે આવે છે ભરતી
    અદભૂત અભિવ્યક્તી

  4. Maheshchandra Naik said,

    April 27, 2013 @ 11:28 AM

    ઉત્ક્ટ પ્રેમની સરસ રજુઆત……………….

  5. Harshad said,

    April 27, 2013 @ 9:47 PM

    Khub sunder abhivyakti!!!

  6. La'Kant said,

    May 6, 2013 @ 7:16 AM

    ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
    વિવેક મનહર ટેલર
    ખૂબજ ગમ્યું…
    ———————————————————–
    છલોછલ છલકાઈ જવાનું નામ છે…” પ્રેમ ” ( ફક્ત મેહસૂસ કરવાનીજ વાત..)સાવ સાચુકલી અભિવ્યક્તિ !
    -આભાર !
    -લા’ કાન્ત / ૬-૫-૧૩

  7. કઈ નદી કાંઠા વિના વહેલી ? (ચ્તુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

    November 28, 2015 @ 11:54 PM

    […] નોંધઃ  વિવેક મનહર ટેલરનો એક શેરઃ ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ? જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ? પણ એક નદી કાંઠા વિના વહેલી અને એ પાવન ગંગા ભારતમાં છે. સ્વર્ગથી ગંગાનું શિવજટામાં અવતરણ થયેલું અને કોઈ કાંઠા વિના ગંગા આકાશમાર્ગે વહેલી. વિવેક મનહર ટેલરના શેરની લીંક (જુઓ એમાં La’Kantની કોમેન્ટ): https://layastaro.com/?p=9935 […]

  8. કઈ નદી કાંઠા વિના વહી હતી ? (ચ્તુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

    November 29, 2015 @ 12:04 AM

    […] નોંધઃ  વિવેક મનહર ટેલરનો એક શેરઃ ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ? જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ? પણ એક નદી કાંઠા વિના વહી હતી અને એ પાવન ગંગા ભારતમાં છે. સ્વર્ગથી ગંગાનું શિવજટામાં અવતરણ થયેલું અને કોઈ કાંઠા વિના ગંગા આકાશમાર્ગે વહી હતી . વિવેક મનહર ટેલરના શેરની લીંક (જુઓ એમાં La’Kantની કોમેન્ટ): https://layastaro.com/?p=9935 […]

  9. કઈ નદી કાંઠા વિના વહી હતી ? (ચ્તુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

    November 29, 2015 @ 12:09 AM

    […] નોંધઃ  વિવેક મનહર ટેલરનો એક શેરઃ ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ? જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ? પણ એક નદી કાંઠા વિના વહી હતી અને એ પાવન ગંગા ભારતમાં છે. સ્વર્ગથી ગંગાનું શિવજટામાં અવતરણ થયેલું અને કોઈ કાંઠા વિના ગંગા આકાશમાર્ગે વહી હતી . વિવેક મનહર ટેલરના શેરની લીંક (જુઓ એમાં La’Kantની કોમેન્ટ): https://layastaro.com/?p=9935 […]

  10. Girish Parikh said,

    December 3, 2015 @ 3:41 PM

    વિવેકભાઈઃ નમસ્તે.
    ઉપરની ત્રણ કોમેન્ટમાંથી “કઈ નદી કાંઠા વિના વહેલી ?” તથા “કઈ નદી કાંઠા વિના વહી હતી ?” ડીલીટ કરવા વિનંતી. એ પછી “કઈ નદી કાંઠા વિના વહી હતી ?” એક વખત રહેશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment