શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

કોણ કરે ? – સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

-સૈફ પાલનપુરી

7 Comments »

  1. વિવેક said,

    April 1, 2013 @ 1:36 AM

    વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
    પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

    આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
    એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

    – આ બે શેર તો કોલેજકાળના પ્રાણપૂરક શેર જાણે… !

  2. perpoto said,

    April 1, 2013 @ 3:11 AM

    સૂરજ એક અફવા છે
    તારાઓ ગણગણે

  3. narendrasinh chauhan said,

    April 1, 2013 @ 4:25 AM

    જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
    જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ? અતિ સુન્દર

  4. Maheshchandra Naik said,

    April 1, 2013 @ 2:29 PM

    પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધા જ્યારે હોય છે ત્યારે આવી સુંદર રચના પ્રાપ્ત થાય છે,સરસ ગઝલ, દરેક શેર લાજ્વાબ…………………….

  5. Pravin Shah said,

    April 3, 2013 @ 12:24 AM

    અતિ સુંદર !
    દરેક શેર લાજવાબ !

  6. Nisha said,

    April 5, 2013 @ 4:28 AM

    એક સપનુ જે દિવસે મારિ સાથે રહે …રાત થતા મારિ સાથે સુવે.
    હકિકત નિ દુનિયા મા જિવતુ રહે…એક સપ્નુ જે મારિ સાથે રહે.

  7. Jigar said,

    April 8, 2016 @ 2:06 PM

    masterpiece !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment