તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

ભટકે છે – બરકત વીરાણી ‘બેફામ’

વીતેલ પ્રસંગો એ રીતે જીવનની કથાના ભટકે છે,
જાણે કે મારા પુસ્તકના ફાટેલાં પાનાં ભટકે છે .

રસ્તા જ જગતના છે એવા,સૌ મોટા-નાના ભટકે છે,
કોઈ ભટકે છે છતરાયા,તો કોઈ છાના ભટકે છે .

સૌ વિહ્વળ છે, સૌ ચંચળ છે,કેવળ સૌનાં નોખાં સ્થળ છે,
રણમાં દીવાના ભટકે છે,ઉપવનમાં દાના ભટકે છે .

એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .

આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .

– બરકત વીરાણી ‘બેફામ’

10 Comments »

  1. pragnaju said,

    February 11, 2013 @ 1:18 PM

    આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
    ‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .
    વાહ્

  2. perpoto said,

    February 11, 2013 @ 10:53 PM

    તુ ગયો પછી

    ભટકે યાદો હવે

    શ્વાસે નિઃશ્વાસે

  3. વિવેક said,

    February 12, 2013 @ 12:27 AM

    સુંદર ગઝલ…

  4. Suresh Shah said,

    February 12, 2013 @ 4:35 AM

    અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .
    અસંતુષ્ટ જીવો ની વાત માત્ર નથી. કાંઈ કેટલુય ન પામી શકવાની વાત છે. સમય ઓછો પડે છે કે જીજિવિષા મોટી છે વીરાણી સાહેબનની રચના માટે કોમેન્ટ ક્રરવાની ક્ષમતા નથી.
    એનો તો રસ માત્ર પી શકાય એ જ ઘણુ છે.

    આસ્વાદ કરાવવા માટે આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  5. jagdish48 said,

    February 12, 2013 @ 7:15 AM

    છેલ્લી પંક્તિઓ ‘જીવન’ નો અર્ક !

  6. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    February 12, 2013 @ 9:26 AM

    આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
    ‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે
    નામ ઃ- બરકત = ગુજરાતી માટે અર્થ અજાણ્યો નથી!
    અટકઃ- વીરાણી = ટી.વી. સીરીયલો માં વીરાણી પરિવાર અને નાણાવટી પરિવાર જેમ લબ્ધ પ્રતિષ્ઠિત
    છે , તેમ , શબ્દો ના તેમ અર્થ ની અભિવ્યક્તી ના સ્વામી કહો તો પણ ઓછું પડે!
    તખલ્લુસ ઃ- ” બેફામ ! બેફામ ? નહીં તે અર્થ માં નહીં , હિંમ્મતવાન કે બૉલ્ડ ના અર્થ માં એમની
    રચના હોવી ,તે તેમની આગવી ઓળખ છે , જેવી રીતે ” ગની દહીંવાલા” ની ઓળખ ર્હદ્યસ્પર્શી છે, એવું જ સમજો ને! રહી વાત ટીપ્પણી ની તો હું શ્રી સુરેશ શાહની બરોબ્બર પાછળ જ છું!

  7. kartika desai said,

    February 12, 2013 @ 1:58 PM

    Dhavalbhai,Jay Shree Krishna.
    aapno aajno din khushrang ho.
    sundar gazalno tame aasvaad karavyo!!!

  8. Maheshchandra Naik said,

    February 13, 2013 @ 7:31 PM

    બેફામ સાહેબની ગઝલ તેમની વિશીષ્ટ ઓળખ બની રહે છે…….

  9. narendrasinh chauhan said,

    February 14, 2013 @ 3:29 AM

    એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
    એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .
    અત્યત સરસ

  10. Jigar said,

    March 5, 2016 @ 8:51 AM

    Wah wah wah
    Adbhut rachna !!
    એક એક શેર લાજવાબ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment