પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

ગઝલ – ઉર્વીશ વસાવડા

બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

પડાવો એક બે એવાય સફરમાં આવે
ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર મનનીય… ઘટિકાયંત્ર અને આગિયાના પ્રતીકોનો કેવો સક્ષમ પ્રયોગ !

10 Comments »

  1. perpoto said,

    February 16, 2013 @ 12:52 AM

    સુંદર ગઝલ…

    ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું..

    કદાચ…. ન કૈં પ્રકાશ આપે એ રીતે ચળકવાનું…

    વર્ણવી શકાય?

  2. narendrasinh chauhan said,

    February 16, 2013 @ 3:14 AM

    બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
    ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું
    અતિ સુન્દર

  3. perpoto said,

    February 16, 2013 @ 3:41 AM

    નવું ફોર્મેટ વધુ આવકારદાયક છે.
    આગિયા ના પ્રકાશમાં ,પ્રકાશનાં તત્ત્વનુ વધુ પ્રમાણ હોય છે,ગરમી /ઉષ્મા નહીંવત હોય છે,તે જોતાં કદાચ ઉર્વિશભાઇનુ પ્રતિક વધુ સાર્થક જણાય છે.

  4. ડૉ.મહેશ રાવલ said,

    February 16, 2013 @ 6:44 AM

    વાહ ઉર્વીશભાઇ..!.
    આખી ગઝલના ભાવનું ઊંડાણ અને ખાસ, અંતિમ શેર- બન્ને બહુજ સ્પર્શી ગયા.
    -અભિનંદન.

  5. P. P. M A N K A D said,

    February 16, 2013 @ 8:14 AM

    As is usual, gazal is very good.

  6. vijay joshi said,

    February 16, 2013 @ 8:51 AM

    પ્રત્યેક શેર લાજવાબ છે
    પ્રત્યેક શેરમાં જવાબ છે
    આગનો યમ હવા જ છે
    આગનો જીવ હવા જ છે ….વિજય જોશી

  7. vijay joshi said,

    February 16, 2013 @ 9:07 AM

    રાત્રીના સામ્રાજ્યમાં
    જાસુસી કરવા,
    આવ્યો સુરજ વેષાંતર કરી
    આગિયો બની! …..વિજય જોશી

  8. pragnaju said,

    February 16, 2013 @ 9:24 AM

    સુંદર ગઝલ
    બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
    ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

    તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
    ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું
    વાહ્

  9. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    February 18, 2013 @ 12:59 PM

    ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
    સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

    બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
    ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

    તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
    ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું
    પોતાની મર્યાદા સમજવી , સમજાવી તેનાથી વધુ સરાહનીય છે મર્યાદા નો સ્વિકાર કરવો તે! ઘટિકા યંત્ર માં ઉલટવાનું,આગિયાનું ઝબકવાનું કે તૂટેલા ભીંત ના દ્વારનું સતત પુન્ઃરાવર્તન એ ગમતી કે અણગમતી પ્રવૃત્તિ હોઈ શકે પણ ફરજ પરસ્તી તો ખરીજ ને!
    છેવટે તો .. બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
    કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

    પડાવો એક બે એવાય સફરમાં આવે
    ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું!

  10. Maheshchandra Naik said,

    February 20, 2013 @ 4:52 PM

    બધા જ શેર લાજવાબ છે, પંરતુ., આ બે શેર વિશેશ ધ્યાન ખેચી જાય છે, શ્રી ઉર્વિશ્ભાઈને અભિનદન, આપનો આભાર………………

    ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
    સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનુ

    બધાના ભાગ્યમાં છે આગીયાપણુ કેવળ
    ન કૈ પ્રકાશ મળે એ રીતે ચળકવાનુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment