મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!
ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!
રિષભ મહેતા

(સૌભાગ્યવતી યાદ) -પન્ના નાયક

તારી સાથે
ગાળેલી
રમ્ય રાત્રિની
સૌભાગ્યવતી યાદ
ફરી થનારા પ્રગાઠ મિલન સાથે
સંવનન કરતી હતી
ત્યાં જ
કાયમી વિરહના
અચાનક ઊમટેલા
વંટોળિયાના
એક જ સુસવાટે
ઉથલાવી
તોડીફોડી નાંખી
કંકુની શીશી…

હવે ઢોળાયેલા કંકુને
વાગે છે
નર્યા કાચ…

-પન્ના નાયક

 

4 Comments »

  1. pragnajuvyas said,

    November 19, 2007 @ 9:13 AM

    સચોટ અસર કરનારું, અજીકના સ્વજનમાં જોયેલું ,અછાંદસ કાવ્ય મન ડહોળી ગયું.

  2. ભાવના શુક્લ said,

    November 19, 2007 @ 10:57 AM

    ડહોળાયેલા મનથી શુ લખી શકાય???

  3. kanchankumari parmar said,

    October 12, 2009 @ 4:44 AM

    ભિના ભિના સપનો ને હું હજુ હાથ મા લૈને પંપાળુ તે પહેલા તો ઉના ઉના વાયરા બધુયે સમેટિ ગયા ….

  4. Anil Shah.Pune said,

    November 13, 2020 @ 11:51 PM

    શીશી કંકુ ની તુટીને,
    ઝખમ કપાળે થયું,
    તારૂં જાવું મિલન પહેલાં,
    જાણે નર્યું વાવાઝોડું ફરી વિરહનું ફૂંકાયું,
    પ્રતિમ સંવનન ના દીવસો
    કાયમી ધોરણે જાણે મરણ પામ્યા……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment