રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
વિવેક ટેલર

લતાકુંજમાં – ઉદયન ઠક્કર

ન કૂંપળ, ન કળીઓ,ન કુસુમો, ન ક્યારો
સુગંધોને   હોતો   હશે    કંઈ    કિનારો ?

લતાકુંજમાં     કેમ     ગુંજે      સિતારો ?
છે  ભમરા ?  કે   પાંખાળા   સંગીતકારો ?

લળીને     ઢળીને     ટહુકા     કહે    છે,
‘તમે ક્યાંથી અહીંયા ? પધારો, પધારો !’

આ   તોળાવું   ઝાકળનું  તરણાની   ટોચે,
અને   મારા   મનમાં   કોઈના   વિચારો….

મને    જોઈને   ઘાસ   હળવેથી   બોલ્યું,
‘જરા  આમ   આવો,   પગરખાં   ઉતારો !’

-ઉદયન ઠક્કર

7 Comments »

  1. pragnajuvyas said,

    November 17, 2007 @ 11:17 AM

    અનેક સુંદર કાવ્યો,મુક્તકો,ગઝલો જેના માણ્યા ,તે ઉદયન ઠક્કરની ફોર એસ વી પર માણેલી
    બહુ મઝાની ગઝલ ફરી મઝા લાવી.ઉ.ઠ. હંમેશા નવી જ ક્લ્પના લઈ આવે છે !
    આ સુંદર પંક્તી
    લળીને ઢળીને ટહુકા કહે છે,
    ‘તમે ક્યાંથી અહીંયા ? પધારો, પધારો !’ માં કુદરતનું કેવું સ્વાગત !
    પણ તે છુંદવા માટે નથી તે અંગે કવિ આપણા અનાડીપણાને આ શિરમોર જેવી પંક્તીથી
    મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
    ‘જરા આમ આવો, પગરખાં ઉતારો !’
    કેવી ટકોર કરે છે !
    આવું તો અહી ન્યુયોર્કમાં પણ બન્યું હતું
    બગીચાનું જતન જે કાયદો ન કરી શક્યો
    તે કવિની આવી નાની પંક્તીએ કરેલું!

  2. ભાવના શુક્લ said,

    November 17, 2007 @ 4:27 PM

    સુંદર રચના…. મન ને તરતમા જ હરી લેતી અને તાજગીથી છલકતી કોઈ મોહક શબ્દપ્યાલી!!!!!!

  3. ઊર્મિ said,

    November 17, 2007 @ 11:52 PM

    અરે વાહ…. મજા આવી ગઈ !

  4. સુનીલ શાહ said,

    November 18, 2007 @ 9:13 AM

    ન કૂંપળ, ન કળીઓ,ન કુસુમો, ન ક્યારો
    સુગંધોને હોતો હશે કંઈ કિનારો ?

    વાહ! સુંદર કલ્પના.

  5. rahul said,

    November 22, 2007 @ 2:29 AM

    બહ સરસ

  6. મિહિર જાડેજા said,

    November 28, 2007 @ 1:48 AM

    વાહ….
    ખરેખર, કોઈ લતાકુંજની મુલાકાત જેવો અનુભવ.

  7. Himanshu said,

    November 28, 2007 @ 11:49 PM

    લતાકુંજમાં કેમ ગુંજે સિતારો ?
    છે ભમરા ? કે પાંખાળા સંગીતકારો ?

    આ તોળાવું ઝાકળનું તરણાની ટોચે,…

    reminds me somewhat of one from gani dahiwala

    તમારા અહિં આજ પગલા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment