અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !
– ભરત વિંઝુડા

ગઝલ – કિરીટ ગોસ્વામી

આંખથી જે દૂર થાતું જાય છે,
એ બધું મનમાં સમાતું જાય છે.

એક તારો તૂટતાં ચારેતરફ,
કેમ અંધારું છવાતું જાય છે ?

ઝૂંડ આખું જાળથી છટકી ગયું,
એક પંખી કાં ફસાતું જાય છે ?

આજ લખવા પત્ર બેઠો છું તને-
તો અનાયાસે રડાતું જાય છે.

ફૂલ જેવું મન હવે મારું ‘કિરીટ’,
પથ્થરો વચ્ચે ઘડાતું જાય છે.

– કિરીટ ગોસ્વામી

10 Comments »

  1. Rina said,

    November 9, 2012 @ 1:36 AM

    beautiful…

  2. dr.ketan karia said,

    November 9, 2012 @ 3:07 AM

    ખૂબ સરસ

  3. perpoto said,

    November 9, 2012 @ 4:19 AM

    ઝુંડ આખું જાળથી છટકી ગયું
    એક પંખી કાં ફસાતું જાય છે..

    કોકને ગુમાવ્યાંની પારાવાર વેદના દરેક પંક્તિમાં ફસાય છે…..

  4. Gaurav Pandya said,

    November 9, 2012 @ 9:36 AM

    આજ લખવા પત્ર બેઠો છું તને-
    તો અનાયાસે રડાતું જાય છે.

    extremely superb.

  5. manilalmaroo said,

    November 9, 2012 @ 11:02 AM

    very sentimental gazhal i like it

  6. Pravin said,

    November 9, 2012 @ 2:32 PM

    Very nice

  7. Maheshchandra Naik said,

    November 9, 2012 @ 4:45 PM

    સવેદનશીલ કવિની રચના મનને દ્રવિત કરી જા છે……………….

  8. pragnaju said,

    November 9, 2012 @ 4:56 PM

    આજ લખવા પત્ર બેઠો છું તને-
    તો અનાયાસે રડાતું જાય છે.

    ફૂલ જેવું મન હવે મારું ‘કિરીટ’,
    પથ્થરો વચ્ચે ઘડાતું જાય છે.

    વાહ્

    લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં …
    ઓ પથ્થર દિલ, લે તું જ કહે, દિલ કેવું મુલાયમ રાખું છું. ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ …

  9. sweety said,

    November 10, 2012 @ 6:01 AM

    ઝૂંડ આખું જાળથી છટકી ગયું,
    એક પંખી કાં ફસાતું જાય છે ?

    વાહ ક્યા બાત હૈ

  10. Harikrishna said,

    November 17, 2012 @ 5:17 AM

    Excellent !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment