વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

સુ.દ. પર્વ :૧૪: આંખ તો મારી આથમી રહી – સુરેશ દલાલ

Suresh dalal early age photos
(સુરેશ દલાલ….                                              ….ચિરયુવાન)

*

આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.

સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.

પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.

– સુરેશ દલાલ

પંખી તો ઊડી ગયું પણ ડાળ સતત કંપતી રહેશે. સુ.દ.ના જવાથી ગુજરાતી સાહિત્યજગતમાં સર્જાયેલો ખાલીપો લાંબા સમય સુધી અનુભવાતો રહેશે. આ સાથે સાત દિવસથી ચાલી રહેલો અને ચૌદ કવિતાઓ મઢેલ "સુ.દ. પર્વ" અહીં પૂર્ણ કરીએ છીએ. કવિના પોતાના શબ્દોમાં કહીએ તો: "મૃત્યુથી મોટું પૂર્ણવિરામ અન્ય કોઈ નથી".

*

(સુ.દ.પર્વ તસ્વીર સૌજન્ય: શ્રી હિતેન આનંદપરા, શ્રી સંદિપ ભાટિયા)

5 Comments »

  1. Jayant Shah said,

    August 19, 2012 @ 9:38 AM

    નાજુક ક્શણૉમાકોલ ,
    મે મ્રુત્યને દઇ દી ધો ,

    મારી જીવનની સાથે ,
    મુલાકાત થ ઇ પઈ .

    હરીન્દ્ર દવે ની પન્ક તિ ને સુરેશ દલાલે આખ બન્ધ કરી કાયમ માટે સુઈ ગયા .હવે કવિતા
    ઝુરશે !!!

  2. Darshana Bhatt said,

    August 19, 2012 @ 4:48 PM

    સુ.દ. પર્વ્ની આ રચના સાથે સમાપન મ્રુત્યુના સનાતન સત્યને ઉજાગર કરી ગયુ.

  3. pragnaju said,

    August 20, 2012 @ 7:31 AM

    વૃધ્ધત્વ ની મઝાની અભિવ્યક્તી
    નસના ધોરી રસ્તા તૂટ્યા
    લોહીનો ડૂબે લય.
    સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
    વહી ગયેલી વય.
    અને તે સ્વીકારીએ તો વેદના વિહીન મૃત્યુ …

  4. Nivarozin Rajkumar said,

    September 2, 2012 @ 11:07 AM

    એક પછી એક ઇન્દ્રિય કહે :
    હમણાં હું તો ચાલી.

    ઉફ્ફ્………કેવો ખાલીપો…..ઃ(

  5. purvi mehta said,

    January 9, 2013 @ 8:12 AM

    જિન્દગિ નુ સત્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment