યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડેલો ?
શ્યામ સાધુ

ગઝલ – અરુણ દેશાણી

કોઈ તો એકાદ એવું સ્થળ હશે,
દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે.

શું ખબર એ પંથ ક્યારે આવશે !
જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે.

જળ હશે, પથ્થર હશે, વાદળ હશે,
હોવું પણ હોવાનું કેવળ છળ હશે.

સૂર્યની છાયા ભલેને ના મળે !
લોહીમાં અજવાસની સાંકળ હશે.

સંચરો ભાથાં લઈને કર્મનાં,
એ જ તો બસ આપણાં અંજળ હશે.

-અરુણ દેશાણી

હોવાની વિધાયક શક્યતાઓને ઉજાગર કરતી ગઝલ…

4 Comments »

  1. pragnaju said,

    June 14, 2012 @ 8:00 AM

    શક્ય છે / નથી વિસ્તરેલી સંવેદનાને સરસ અભિવ્યક્તિ
    અને મઝાનો મક્તા
    સંચરો ભાથાં લઈને કર્મનાં,
    એ જ તો બસ આપણાં અંજળ હશે.
    જીવન આશાઓ અને નિરંતર શક્યતાઓથી ભરેલુ છે તેમજ
    નિરાશાવાદી માનસીકતા છોડી દેવાથી અનેક આશાઓમાં
    જીવન વધુ પુલકીત અને મુલાયમ બને છે

  2. Maheshchandra Naik said,

    June 14, 2012 @ 6:47 PM

    આશાવાદી અભિવ્યક્તિ સાથે કર્મની કરવાની સ્વિકાર્ય વાત લઈ આવતી સરસ ગઝલ્…….

  3. Pravin Shah said,

    June 16, 2012 @ 2:27 AM

    હોવું પણ હોવાનું કેવળ છળ હશે.

    વાહ !

  4. kalpana said,

    June 16, 2012 @ 5:52 PM

    ૅકેટલી સફળતાથી આશા નામના છળની કલ્પના કરી છે! સુન્દર. ફરી ફરી વાંચવાની ગમે એવી ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment