ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
આદિલ મન્સૂરી

કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- મનહર મોદી

(કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- એક પ્રયોગ)

ખૂબ પીડે છે દર્દ ઉપરથી,
કોતરે છે પછી અંદરથી.

બારણું ઊઘડે છે અંદરથી,
કોણ ઊતરી રહ્યું છે ઉપરથી ?

હું ગયો છું અહીંથી ઉપરથી,
ને પણેથી ગયો છું અંદરથી.

જાય છે કોણ કોણ અંદરથી ?
આંખ ઊઘડે તો જોઈ ઉપરથી.

હું થયો ખૂબ લાંબો ઉપરથી,
ને પછી પહોળો થયો અંદરથી.

-મનહર મોદી

ધ્યાનથી જોતાં આ ગઝલમાં ‘અંદર’ અને ‘ઉપર’ એમ બે અલગ-અલગ કાફિયાઓને વારાફરતી ગઝલની શરૂઆતથી અંત સુધી એક-બીજા સાથે સાંકળીને કવિએ જાણે ઉપર-અંદર-અંદર-ઉપર-ઉપર-અંદર એમ કાફિયાઓની એક સાંકળ રચવાનો પ્રયોગ કર્યો છે.

2 Comments »

  1. ધવલ said,

    August 10, 2007 @ 12:56 PM

    બારણું ઊઘડે છે અંદરથી,
    કોણ ઊતરી રહ્યું છે ઉપરથી ?

    – સરસ !

    ગઝલમાં આટલા બધા પ્રયોગો થાય છે એ જ એની લોકપ્રિયતાની સાબિતિ છે.

  2. Viral said,

    August 13, 2007 @ 9:21 AM

    ખુબ સ્રસ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment