એ તાંતણાના સહારે તરી ગયા સાગર –
રહી ગયો જે ઉભય વચ્ચે બરકરાર જરા.
વિવેક મનહર ટેલર

વેદનાનાં વારિ – દિલીપ પરીખ

સ્નેહના સાગરમાં હું એથી જ ડામાડોળ છું,
તેં દીધેલી વેદનાનાં વારિથી તરબોળ છું !

આભને ધરતી જેના વિસ્તારને ઓછાં પડે,
હું પ્રચંડ એવા પ્રણયના વેગનો વંટોળ છું !

આમ મારો ચહેરો ફિક્કો ફિક્કો દેખાતો ભલે,
લાગણીની ક્ષણ મહીં નીરખો તો રાતોચોળ છું !

પ્રેમમાં તું તો સભર છે ઊર્મિની ઉષ્મા વડે,
શું કરું કે લાગણીમાં હું જ ટાઢોબોળ છું !

– દિલીપ પરીખ

સૌ ભાવકોને આ ગઝલના ગુણ-દોષની મુક્ત મને ચર્ચા કરવા આમંત્રણ છે.

છેલ્લા શેરનું આત્મનિરીક્ષણ ધ્યાન ખેંચે તેવું છે – પ્રેમ અનુભવવા માટેની એક અનિવાર્ય પૂર્વશરતની વાત છે. પહેલો શેર મને બહુ ન ગમ્યો-શબ્દોની રમત લાગી.

8 Comments »

  1. Dr j k Nanavati said,

    May 21, 2012 @ 4:57 AM

    ટ્રાયલ બોલ કોઈને રમવા દ્યો….પછી વાત….!,,!!!

  2. વિવેક said,

    May 21, 2012 @ 8:16 AM

    ડૉક્ટર નાણાવટીસાહેબ,

    આ તો પહેલો કાપો બીજા કોઈને મૂકવા દો, પછી હું ઓપરેશન કરીશ જેવી વાત થઈ… ક્યારેક ઓપનિંગ પણ કરવું જોઈએ જેથી કેરી-થ્રુ બેટિંગ કરવાનો મોકો મળે….

  3. dr>jagdip said,

    May 21, 2012 @ 11:44 AM

    દાવ ડિકલેર……

    રિટાયર્ડ હર્ટ…!!!!!

  4. રાકેશ ઠક્કર, વાપી said,

    May 22, 2012 @ 3:49 AM

    બહુ મજા ન આવી

  5. Dr j k Nanavati said,

    May 22, 2012 @ 5:01 AM

    ગઝલમા લય…શ્બ્દો ઉપર નુ વજન્….ગેયતા…..બહુ અગત્યનો ભાગ ભજવી જાય છે…વિચારો સારા હોય પણ
    અમુક શબ્દો એક બીજાની શોભા વધારે તો રચના વધુ ઉત્તમ બને

  6. વિવેક said,

    May 22, 2012 @ 9:24 AM

    તીર્થેશની આ વાત – “સૌ ભાવકોને આ ગઝલના ગુણ-દોષની મુક્ત મને ચર્ચા કરવા આમંત્રણ છે” – લયસ્તરો પર મૂકાનારી બધી જ કવિતાઓને સંપૂર્ણપણે લાગુ પડે છે…

    પ્રસ્તુત ગઝલમાં બીજો અને ચોથો શેર સારો છે. એમાં પણ બીજા શેરમાં –

    હું પ્રચંડ એવા પ્રણયના વેગનો વંટોળ છું !

    – આ પંક્તિમાં છંદ જાળવવા માટે શબ્દોનું સ્થાન અદલબદલ થયેલું હોવાથી પંક્તિ વધુ કૃતક લાગે છે. એ પંક્તિ આ રીતે હોય તો જ વધુ સશક્ત લાગે: “હું પ્રણયના એવા પ્રચંડ વેગનો વંટોળ છું”

  7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    May 22, 2012 @ 12:24 PM

    લિબાશ કરચલી વિનાનો હોય તો સારું છે;બહુ જ સારું છે.
    એકાદ-બે કરચલીઓ હોય તો ચલાવી લેવું પણ સારું છે.

  8. dr>jagdip said,

    May 22, 2012 @ 12:30 PM

    ઈસ્તરી બંધ કપડાંની માંગ હોય ત્યારે કરચલી તરફ
    ધ્યાન દોરાય તો એમા કંઈ ખોટું નથી……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment