વસ્તુ ભલે હો એક, છે અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
વિવેક મનહર ટેલર

મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધા ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ.

8 Comments »

  1. shaileshpandya BHINASH said,

    August 5, 2007 @ 4:49 AM

    kya bat hai chinukaka…………

  2. Kavita said,

    August 7, 2007 @ 4:01 AM

    “સ્વજનને તો સરવાનો મોકો મળ્યો” – એવી પંક્તિ સાંભળ્યાનું યાદ છે…

  3. વિવેક said,

    August 7, 2007 @ 4:49 AM

    મુસીબત પડી એ તો સારું થયું,
    સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

    -આખો શેર આ પ્રમાણે છે, કવિતાજી…

  4. Kavita said,

    August 8, 2007 @ 3:23 AM

    Thanks, યાદ કરાવવા માટે, તમારી સાથે interact કરવાનો મોકો મળ્યો.

  5. Abhijeet Pandya said,

    August 30, 2010 @ 11:50 AM

    સુંદર રચનાૂ

    મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
    બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

    ઉપરોક્ત શેરમાં “બધાંને ઘેર ” માં લગાગાગા થતું જોવા મળે છે.જ્યારે ગઝલમાં
    લગાગા લગાગાનું છંદ બંધારણ જાળવવામાં આવ્યું છે. “બધાંને” ને બદલે “બધાં
    ઘેર ફરવાનો ” કરવાથી છંદ જળવાતો જોવા મળે છે. મને તો આ િપ્રન્ટ એરર લાગે છે.
    ચીનુભાઈ મોદી ગુજરાતના શ્રેષ્ઠ ગઝલકારોમાંના એક છે. તેમની ગઝલમાં એકપણ ભુલ
    ને અવકાશ જ નથી. સુધારો કરવા િવનંિત.

    અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

  6. Bharat Trivedi said,

    August 30, 2010 @ 3:38 PM

    શ્રી ચિનુ મોદીની ‘પર્વતને નામે પથ્થર’ હાથવગી હતી. ગઝલ આ પ્રમાણે છેઃ

    સરસ વાત કરવાનો મોકો મળ્યો,
    તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

    મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
    બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

    થયું: હાશ સારું કે છે તો ખરો,
    ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

    બચતમાં હતાં અશ્રુઓ એટલે
    નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

    મુસીબત પડી એ તો સારું થયું,
    સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

    ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
    ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

    ચિનુભાઈની ગઝલ હોય એટલે સારી તો હોય-જ પરંતુ તેમની મને ખૂબ ગમતી ગઝલ તો છે ‘ના કરે’ યાદ છે ને પેલો શેર?

    પુષ્પ પર ડાધો પડે એ બીકથી,
    જીવવાની જિદ ઝાકળ ના કરે.

    ભરત ત્રિવેદી

  7. bharat vinzuda said,

    August 30, 2010 @ 9:11 PM

    BADHA GHAR MA FARAVA NO MOKO MALYO

    Aem hashe !

  8. Bharat Trivedi said,

    August 30, 2010 @ 9:21 PM

    શેર આ પ્રમાણે છેઃ

    મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
    બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment