પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી 'ઈર્શાદ'

પ્રવાસી-રાજેન્દ્ર શાહ

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

– રાજેન્દ્ર શાહ

[ અલક્ષિત = દેખાઈ  ન શકે તેવું , તિરોહિત = અદ્રશ્ય ]

 

આંતરપ્રવાસની કથા છે. સંપૂર્ણપણે અજ્ઞાત ક્ષેત્રમાં તમામ પરિમાણો બદલાઈ જાય છે.

2 Comments »

  1. pragnaju said,

    April 29, 2012 @ 3:31 AM

    લયબધ્ધ મધુરું ગીત
    લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
    રહી જતું સૂચિત થાય ઇંગિતે;
    અજાણનો આદર હું કરું સ્મિતે,
    પળે પળે નૂતન છે અપેક્ષિત.
    ખૂબ જ સુંદર ભાવવાહી પંકતીઓ

  2. વિવેક said,

    April 30, 2012 @ 2:19 AM

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment