ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
કૃષ્ણ દવે

ચંદ્ર – કુસુમાગ્રજ

એવા અનેક ચંદ્ર
આવી ગયા
ચાંદની આપી ગયા
પણ ચાંદની આપવા માટે
તેમણે માગ્યું હતું મૂલ્ય
મારા આકાશનું.
પણ તારો ચંદ્ર
એટલો આત્મમગ્ન
અને નિ:સ્વાર્થ
કે તેણે મારું
આકાશ તો ઠીક
પણ મારો અંધકાર પણ
માંગ્યો નહીં.

– કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)

1 Comment »

  1. પંચમ શુક્લ said,

    June 23, 2007 @ 9:31 AM

    મારું
    આકાશ તો ઠીક
    પણ મારો અંધકાર પણ
    માંગ્યો નહીં.

    ધવલભાઇ, વીણેલું લઘુકાવ્ય લઇ આવ્યાને કંઇ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment