ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે છે આવી રોજેરોજ એ શાથી ટપાલમાં ?
વિવેક મનહર ટેલર

કાવ્યત્રયી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

બાપુ

બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !

ફૂલો

સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.

મા

ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)

2 Comments »

  1. ધવલ said,

    June 21, 2007 @ 9:59 PM

    બહુ ઉત્તમ કવિતાઓ !

  2. UrmiSaagar said,

    June 22, 2007 @ 2:31 PM

    સુંદર લઘુકાવ્યો!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment