તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
મુસાફિર

જોઈએ – શૂન્ય પાલનપુરી

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– શૂન્ય પાલનપુરી

3 Comments »

  1. પ્રતિક ચૌધરી said,

    September 1, 2008 @ 11:53 AM

    ઊંચાઈ પર જવા ઉન્નત વિચારો જોઈએ એ તમે કહી દિધુ શૂન્ય પણ જો ત્યાં અગર હું એકલો પડું અને ઊંચાઈનો જો મને ડર લાગે ને પાછા આવવાનું મન થાય તો કેવા વિચારો જોઈએ?

  2. Umesh Vyas said,

    January 17, 2010 @ 1:50 AM

    ભઇ વિચારો તો ત્યાય ઉચા જ જોઇએ

  3. Kalpesh prajapati kp said,

    February 23, 2024 @ 8:55 PM

    તમે ભલે ઊંચા હોદ્દા પર છો પણ તમારા વિચારો જ ખાબોચિયા જેવાં હોય તો તે હોદ્દાની પ્રગતિ ત્યાં જ અટકી જાય
    એટલે જ કહેવું છે કે બનો તો ભલે ખાબોચિયામાલના દેડકા બનો પણ વિચારો તો હૃદયમાં દરિયા જેવા રાખવા..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment