શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
જલન માતરી

વળતાં… – રમેશ પારેખ

ઘણી      ઝડપથી       ઘેરે    પાછા    વળવાનું    છે,
ડૂબી જતો આ સૂરજ કહે છે : હવે અલ્પ ઝળહળવાનું છે.

જલદી     ડાંફો    ભરીભરીને     રસ્તો    ટૂંકો    કરીએ,
પવન    લહરમાં    તરતાંતરતાં   એમ જ પાછા ફરીએ,
પછી   સમયનો   ટેકો  લઈને સુખશય્યામાં  ઢળવાનું છે.

રાત્રિ   મૂકશે    હાથ   હળુકથી    થાકેલા    લોહી  પર,
અંધારું   પણ    પર્વ    ઊજવશે  સઘળાં  ગાત્રો ભીતર,
પછી   ઊંઘમાં  એ  રજવાડી  સ્વરૂપ  પાછું મળવાનું છે.

– રમેશ પારેખ

પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક.

3 Comments »

  1. JOHN AMIR HIMANI said,

    June 19, 2007 @ 5:52 AM

    ramesh parekh is i think one of the best current gazal writer, i like his gazals very much.

  2. વિવેક said,

    June 19, 2007 @ 8:27 AM

    સુંદર ગીત…

  3. પંચમ શુક્લ said,

    June 19, 2007 @ 10:24 AM

    રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર,

    કેવી સહજ અભિવ્યક્તિ ….

    સુંદર ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment