શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
વિવેક મનહર ટેલર

અછાંદસ- અહમદ અલી સઈદ – અનુ. સુરેશ દલાલ

મારી આંખો થાકી ગઈ છે, ત્રાસી ગઈ છે દિવસોથી
દિવસો ન હોય તોપણ તોબા-તોબા પોકારી ગઈ છે
છતાંય મારે શું બાકોરાં પાડવાનાં છે
અને દીવાલ પછી દીવાલની આરપાર નીકળવાનું છે
દિવસોની, કોઈ બીજા દિવસની શોધમાં ?
ત્યાં છે ખરો ? છે ખરો ત્યાં કોઈ બીજો દિવસ ?

 

નાનકડા કાવ્યમાં શું અદભૂત અર્થગાંભીર્ય ભર્યું છે ! જાણકારો કહે છે કે બ્રહ્મની અનુભૂતિ અવર્ણનીય હોય છે. મહાવીરસ્વામીને કોઈએ પૂછ્યું કે સાધનને અંતે શું હોય છે ? નિર્વાણનો અનુભવ વર્ણવો. – મહાવીરે મૌન રાખી પ્રશ્ન કરનાર સામે જોયા કર્યું….જિજ્ઞાસુ કંઈ સમજ્યો નહિ. તેણે ફરીથી પૂછ્યું…’ ભગવન, નિર્વાણ અવસ્થામાં શાશ્વત શાંતિ હોય છે એ વાત સાચી ?’ ભગવાને જવાબ આપ્યો-‘ હા, કદાચ હોય પણ ખરી ….’ – આટલું બોલી તેઓ મૌન થઇ ગયા……. બસ આ જ રીતે કલ્પના કરવાથી કે તર્ક લડાવવાથી કશું વળવાનું નથી. માર્ગ એટલો છેતરામણો છે કે સંશય થવો સ્વાભાવિક છે. તીવ્ર જીજ્ઞાસા અને નિતાંત સભાનપણું – આ બે જ ચાલકબળની મદદથી મંઝિલે પહોંચવાનું છે.

5 Comments »

  1. praheladprajapatidbhai said,

    January 17, 2012 @ 8:11 AM

    દીવાલ પછી દીવાલની આરપાર નીકળવાનું છે
    સરસ્

  2. ધવલ said,

    January 17, 2012 @ 9:04 AM

    ત્યાં છે ખરો ? છે ખરો ત્યાં કોઈ બીજો દિવસ ?

    – સરસ !

  3. himanshu patel said,

    January 17, 2012 @ 1:20 PM

    કવિતા અને નીચે વિવરણ બન્ને ખૂબ રસમય રહ્યાં, કદાચ એક અંધકારથી બિજા અંધકાર તરફ ગિતિ કરાતા અસ્તિત્વ વિશે આ પ્રશ્ન બળકટ છે જે એના પુનરાવર્તનથી ઉદભવે છે.
    ત્યાં છે ખરો ? છે ખરો ત્યાં કોઈ બીજો દિવસ ?

  4. વિવેક said,

    January 19, 2012 @ 8:38 AM

    સુંદર રચના અને બળકટ સમજૂતી…

    સાચો જ્ઞાની જ જિજ્ઞાસુના પ્રશ્નની સામે મૌન અથવા ‘કદાચ’ની શક્યતા મૂકી શકે… અર્ધદગ્ધ હોય એ હંમેશા જવાબ આપવાની ચેષ્ટા કરવાનો જ…

  5. pragnaju said,

    January 19, 2012 @ 12:15 PM

    સુંદર રચના
    સરસ સમજુતિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment