ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

એને તમે શું કહેશો ? – પન્ના નાયક

તરફડાટ એટલે ? –
તમે કહેશો,
જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?

– પન્ના નાયક

જે પાણી વિના તરફડે એ માછલાને તમે પાણીથી છાનું રાખો પણ જે માછલી આખા ભરેલા સાગર વચ્ચે તરફડતી હોય એનો તો વળી શો ઉપાય કરવો ? ભરેલા ભંડાર વચ્ચે અંદરની તડપતા મનની વાત અહીં બહુ ધારદાર રીતે કરી છે. આ વાંચીને તરત એકલતાના ઉપનિષદ જેવું મુકુલ ચોકસીનું આ મુક્તક યાદ આવી ગયું.

જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.

2 Comments »

  1. સુરેશ said,

    June 7, 2007 @ 9:12 PM

    ઉંચકી સુગંધ એક ઉભું ગુલાબ
    એની વેદનાની વાતોનું શું?
    – ભાગ્યેશ જહા

  2. વિવેક said,

    June 8, 2007 @ 3:05 AM

    વેદનાની વાતોથી વ્લોવી નાંખે એવી સુંદર રચના… અને મુકુલભાઈનું મુક્તક પણ એવું જ સુંદર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment