અસ્પૃષ્ટ – સ્નેહલ જોષી
ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.
પ્રવાત ચીરતું વિહંગ પંખરિક્ત છે હવે,
ન લક્ષ્ય કોઈ છે ન આસમાન ચિત્તને અડે.
હવે ન સ્પર્શતા પવન દિશા ન વાયવી દિશે,
ગળી જવાય કંઠમાં ન ગાન ચિત્તને અડે.
રહી ન અર્થની વિદ્યા, રહ્યા ન અર્થસ્નાતકો,
નિમજ્જ શબ્દમાં રહ્યા ન સ્નાન ચિત્તને અડે.
ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.
ન મોહ ક્રાંત થઈ શક્યો રહ્યા સદૈવ અંતિમે,
પ્રથમ રહું, પરંતુ ત્યાં સ્વમાન ચિત્તને અડે.
પ્રગટ થયા, કર્યું બધુંય પ્રાપ્ત, વ્યાપ્ત જે હતું,
નજર પ્રદીપ્ત થઈ, બધાં નિશાન ચિત્તને અડે.
– સ્નેહલ જોષી
એક ન અડવાની ગઝલમાં કેટલી બધી અર્થચ્છાયાઓ આપણને વળગી પડે છે !
(પ્રવાત = પવનનો ઝપાટો, પંખરિકત= પાંખ વિનાનું)
dhaval soni said,
January 6, 2012 @ 5:55 AM
ઓહો…….અદ્ભુત્. … ખરેખર ખુબજ સુન્દર અને માણવાલાયક…
vijay joshi said,
January 6, 2012 @ 9:09 AM
અતિ સુન્દર લયબધ્ધ રચના – આભાર
pragnaju said,
January 6, 2012 @ 9:39 AM
સુંદર ગઝલનો અર્થ ગંભીર મત્લા
ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.
વાહ
પરમ-ચેતનાનાં વિવિધ સ્તરો બાબત એક જ સમયે સમગ્ર સ્તરો બાબત સભાન બની રહેવું એ જ જ્ઞાન છે. આ જ્ઞાનના ઉપયોગથી પરમ-ચેતના જ સ્વભાવ ધર્મોને, ક્ષમતાઓને પ્રાપ્ત કરવી એ વિજ્ઞાન છે. આવી પ્રમુખ ચાર ક્ષમતાઓ છે. સર્વવ્યાપકતાના અનુભવની ક્ષમતા, સર્વાન્તરયામીતાના અનુભવની ક્ષમતા. સર્વશક્તિમત્તાના અનુભવની ક્ષમતા. આ ચારે પ્રકારની ક્ષમતાઓનો જાતઅનુભવ લેવો એટલે જ વિજ્ઞાનમય ચેતના પ્રાપ્ત કરવી પરમ-ચેતનાનું મૂળભૂત સ્વરૂપ દિવ્યાનંદ છે. તે આનંદ કંદ છે. આ દિવ્યાનંદનો અનુભવ લેવો એ પણ અંતિમ પ્રકારની ક્ષમતા છે.
આ બધું જ જ્ઞાન અને વિજ્ઞાન છે પણ જયારે વ્યક્તિ સમગ્ર પરમ-ચેતનાના બધા જ સ્તરો બાબતમાં સભાન રહેતો નથી. પણ કોઈ પણ એક જ સ્તર કે તેના અંશ બાબત જ સભાન બનીને તેની મર્યાદાઓને તાદાત્મ્યભાવથી પોતાની મર્યાદાઓ સમજી બેસે છે અને અન્ય વિસ્તાર બાબત અભાન બની જાય છે, ત્યારે આ અભાનતા એ અજ્ઞાન બની જાય છે અને પોતાના સ્વરૂપને માર્યાદિત સમજવાનું જ્ઞાન એ મિથ્થાજ્ઞાન, વિપરીત જ્ઞાન અથવા વિવર્તજ્ઞાન છે. આ મિથ્થાજ્ઞાનને જ માયા કહેવામાં આવે છે. તે અજ્ઞાનનો જ એક પ્રકાર હોય છે-બધીર ચેતના
praheladprajapatidbhai said,
January 6, 2012 @ 10:26 AM
ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.
સરસ્
anup desai said,
January 6, 2012 @ 2:06 PM
pl let me have email of snehalbhai joshi.& pragnaju. pragnaju made very good interpretation of this gazal.i request to snehalbhai to email me bhashantar of whole gazal in gujarati.
Dhruti Modi said,
January 6, 2012 @ 4:05 PM
ખૂબ જ સરસ રચના.
sudhir patel said,
January 6, 2012 @ 8:25 PM
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
sudhir patel said,
January 6, 2012 @ 8:41 PM
વધુ એક સુંદર ગઝલ માણવાની મજા પડી!
સુધીર પટેલ.
Lata Hirani said,
January 9, 2012 @ 6:50 AM
બે હાથે જો બાથ ભરે છે
આ ‘અડવા’ની વાત !!