આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ

મુક્તક – મધુકર રાંદેરિયા

જનમનું  એક  બંધન  જીવને   જીવનથી  બાંધે છે
જીવન જીવતાં જટિલ  જંજાળ જગની રોજ બાંધે છે
મરણ  તક  બંધનોના  બોજ  ઓછા  હોય  એ રીતે
અહીંના    લોક   મડદાને   ય   મુશ્કેટાટ   બાંધે છે

– મધુકર રાંદેરિયા

2 Comments »

  1. વિવેક said,

    May 11, 2007 @ 8:28 AM

    મડદાને બાંધવાની ક્રિયામાંથી પણ અર્થ શોધી કાઢે એ કવિ… સુંદર મુક્તક…

  2. Sunder Muktak 1 « My thoughts said,

    May 11, 2007 @ 1:32 PM

    […] From, https://layastaro.com/?p=744 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment