મરણ શૈયા ઉપર જ્યારે હતા ત્યારે જ સમજાયું,
ખબર નહોતી રહ્યા તો બેખબર એ કેટલા વરસો.
-કુતુબ ‘આઝાદ’

ગઝલ – હરદ્વાર ગોસ્વામી

દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.

આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચૂપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.

આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.

જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.

એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.

– હરદ્વાર ગોસ્વામી

ભીતરમાં થતો મુશાયરો અને કોરા કાગળે જીવી બતાવતા સાક્ષરો… મસ્ત-મજાની ગઝલ !

5 Comments »

  1. Rina said,

    November 5, 2011 @ 12:30 AM

    આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
    આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.

    જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
    સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો……વાહ…

  2. વિવેક said,

    November 5, 2011 @ 2:01 AM

    સુંદર ગઝલ.. બધા જ શેર મજેદાર…

  3. Anal Shah said,

    November 5, 2011 @ 10:34 AM

    કેવુ પડે ભૈ… કેવુ પડે

  4. sudhir patel said,

    November 5, 2011 @ 2:49 PM

    કવિ-મિત્ર હરદ્વારની મસ્ત ગઝલ ફરી અહીં માણવાની મજા આવી!
    સુધીર પટેલ.

  5. P Shah said,

    November 6, 2011 @ 6:24 AM

    સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો…

    સુંદર ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment