તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
ડૉ. હરીશ ઠક્કર

ગઝલ – પરવીન શાકિર (અનુ. હિતેન આનંદપરા )

કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી

આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી

બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી

એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી

હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી

હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી

 

જેને ફિરાક ગોરખપુરી ‘પાકિસ્તાનની મીરાં’ કહેતા, તેવી આ શાયરા બહુ ટૂંક સમય માટે પૃથ્વીની મહેમાન બની હતી. ભરયુવાનીમાં અલ્લાહના દરબારમાં જતાં પહેલાં તેણે વિશ્વ-ક્ક્ષાએ પોતાની શાયરીને પ્રસ્થાપિત કરી દીધી હતી. દૈહિક રીતે તે પોતે પોતાની શાયરીઓ જેટલી જ સુંદર હતી. આપણી IAS ને સમકક્ષ પાકિસ્તાનની civil service ની ડીગ્રી ધરાવતી પરવીન શાકિર collector કક્ષાનો હોદ્દો શોભાવતી હતી.

પ્રસ્તુત ગઝલ તેની શ્રેષ્ઠ ગઝલમાંની એક તો નથી જ નથી પરંતુ ભાવકોને આ મોટા ગજાની શાયરાની એક ઝલક મળે તે અર્થે રજૂ કરી છે. આમપણ કાવ્યનું ભાષાંતર દુષ્કર હોય છે અને વળી તે પણ છંદમાં તો અતિદુષ્કર. ગઝલનો મિજાજ ભાગ્યે જ સાચવતો હોય છે. પરવીનનો આ એક શેર જુઓ- તરત તેની શક્તિનો આપને અંદાજ આવી જશે-

आतिश-ए-जां से कफस आप ही जल जाना था
कुफ़्ल-ए-ज़िंदा ! तेरा मक्सूम पिघल जाना था
[ આ અસ્તિત્વના આખા કેદખાનાને તો જિંદગીની ગરમીથી પીગળવાનું જ હતું. હે કારાગાર ના તાળા ! પીગળી જવું તારું ભાગ્ય જ હતું……]

13 Comments »

  1. neerja said,

    September 19, 2011 @ 3:43 AM

    its late today! anyway,. very good ghazal with beautiful translation enjoyed a lot. .

  2. Rina said,

    September 19, 2011 @ 4:13 AM

    grt ghazal…..

  3. મીના છેડા said,

    September 19, 2011 @ 5:37 AM

    સરસ!

  4. pragnaju said,

    September 19, 2011 @ 8:08 AM

    અ ફ લા તુ ન ગઝલના આ શેર વધુ ગમ્યા
    હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
    કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી

    હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
    ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી
    તેમના ઘણા શેર તો બીજી ગઝલ માણતા હોય ત્યારે પણ યાદ આવે

    તેમની આ પંક્તીઓ યાદ આવે છે
    કુછ તો થી મેરી ખતા, વરના વો ક્યોં,
    ઈસ તરહ તર્ક-એ-રફાકત કરતા.
    ઔર ઉસસે ન રહી કોઇ તલબ,
    બસ મિરે પ્યાર કી ઈજ્જત કરતા.

  5. Hemal Pandya said,

    September 19, 2011 @ 10:13 AM

    પેલે પારની મીરાં…

    यह हवा कैसे उड़ा ले गयी आँचल मेरा
    यूँ सताने की तो आदत मेरे घनश्याम की थी

    Tried to find the original, it was not easy. http://ghazaliyat.wordpress.com/2011/03/16/qaid-mein-guzregi-jo-umr-bade-kaam-ki-thi

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 19, 2011 @ 10:45 AM

    શબ્દો ભલે હોયે ઈંચથી નાના.
    અર્થ એમાં ભર્યો ગજથી મોટો.

  7. Dhruti Modi said,

    September 19, 2011 @ 4:14 PM

    સ-રસ.

  8. Sudhir Patel said,

    September 19, 2011 @ 9:15 PM

    ખૂબ સુંદર ગઝલનો સરસ ગુજરાતી અનુવાદ!
    સુધીર પટેલ.

  9. ધવલ said,

    September 19, 2011 @ 9:31 PM

    વાહ !

  10. Deval said,

    September 20, 2011 @ 12:20 AM

    હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
    કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી

    હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
    ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી
    વાહ્……..

  11. વિવેક said,

    September 20, 2011 @ 1:15 AM

    આખી મૂળ ગઝલ :

    क़ैद में गुज़रेगी जो उम्र बड़े काम की थी
    पर मैं क्या करती कि ज़ंजीर तिरे नाम की थी

    जिसके माथे पे मिरे बख्त का तारा चमका
    चाँद के डूबने की बात उसी शाम की थी

    मैंने हाथों को ही पतवार बनाई वर्ना
    एक टूटी हुई कश्ती मेरे किस काम की थी

    वो कहानी कि सभी सुईयां निकली भी न थीं
    फ़िक्र हर शख़्स को शहजादी के अंजाम की थी

    ये हवा कैसे उड़ा ले गई आँचल मेरा
    यूँ सताने की तो आदत मेरे घनश्याम की थी

    बोझ उठाये हुए फिरती है हमारा अब तक
    ए ज़मीं माँ तेरी ये उम्र तो आराम की थी

    (Thanks to http://kv.nilambar.com/poem67/67086)

  12. P Shah said,

    September 22, 2011 @ 5:50 AM

    સુંદર ગઝલ !
    અને અનુવાદમાં સુંદર રીતે મૂળ ભાવ અભિવ્યક્ત થયો છે.

  13. amirali khimani said,

    September 25, 2011 @ 5:11 AM

    no dout parvin shakir was mirabai of pakistan all her litreture is in urdu she was shayam bhagat she suffred immense difficulties from hard liner here but she never worried. her death in car accident is doutfull any how her shree krishna bhagti is amirable. hard liner and stanch minded will never understand her . several libral minded appreciated her kruti she will be always remember.
    may allah give her peace and rest her soul in peace. it is an lesson for libral minded to face all hardship from shortminded hard liners.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment